શ્રીવલ્લીએ રોકી ભાઈ કહી આ વાત, રોષે ભરાયેલા ચાહકોએ કરી ટ્રોલ
'KGF' એ યશને દેશનો સૌથી સફળ સ્ટાર બનાવ્યો છે. યશના સ્ટારડમના ઉદય સાથે તે દરેકનો ફેવરિટ સ્ટાર બની ગયો છે.
'KGF' એ યશને દેશનો સૌથી સફળ સ્ટાર બનાવ્યો છે. યશના સ્ટારડમના ઉદય સાથે તે દરેકનો ફેવરિટ સ્ટાર બની ગયો છે. યશને 'કેજીએફ ચેપ્ટર 1' માંથી 'એન્ગ્રી યંગ મેન' નું બિરુદ મળ્યું અને 'કેજીએફ ચેપ્ટર 2'એ તેને પાન ઈન્ડિયા સુપરસ્ટાર બનાવ્યો.
'KGF 2' એ બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને રિલીઝ થયાના એક મહિના પછી પણ બોક્સ ઓફિસ પર કમાણી કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ એકવાર રશ્મિકા મંદન્નાએ યશ વિશે કંઈક કહ્યું હતું, જે પછી ચાહકોએ તેને ખરી-ખોટી સંભળાવવાનું શરૂ કર્યું હતું.
રશ્મિકાએ યશ વિશે કહી હતી આ વાત
'KGF' સ્ટાર યશે વર્ષ 2007માં કન્નડ ફિલ્મ જાંબાડા હુડુગીથી તેની કારકિર્દીની શરૂઆત કરી, જે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈહતી. તે જ સમયે, રશ્મિકા મંદન્નાએ વર્ષ 2016 માં ફિલ્મ 'કિરિક પાર્ટી' દ્વારા અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. વર્ષ 2017માં રશ્મિકાએયશને શો ઓફ એક્ટર કહ્યો હતો, જે બાદ તે ખૂબ ટ્રોલ થઈ હતી.
રોષે ભરાયા હતા યશના ચાહકો
એક ઈન્ટરવ્યુ દરમિયાન રશ્મિકાને પૂછવામાં આવ્યું કે, કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિસ્ટર શોઓફ કોણ છે? આ સવાલના જવાબમાં તેણે તરત જયશનું નામ લીધું હતું, જે અભિનેતાના ચાહકોને પસંદ ન આવ્યું અને તેઓ રશ્મિકા મંદન્ના પર ગુસ્સે થઈ ગયા હતા. ફેન્સ એક્ટ્રેસ પર યશનુંઅપમાન કરવાનો આરોપ લગાવવા લાગ્યા હતા. ઘણા લોકો તેને અહંકારી પણ કહેતા હતા.
લાંબી પોસ્ટ લખીને માંગી માફી
જ્યારે આ મામલો ગરમાયો ત્યારે રશ્મિકા મંદન્નાએ ફેસબુક પર લાંબી પોસ્ટ લખીને માફી માંગી હતી. તેણે લખ્યું કે, 'મેં યશ સર કે અન્યકોઈનો અનાદર કર્યો નથી. મેં હંમેશા યશ સર, તેમની પ્રતિભા અને તેઓ કેવી રીતે ઘણા પ્રસંગોએ લોકોને પ્રેરણા આપે છે, તેની પ્રશંસા કરીછે. તે દુઃખદ છે કે, મીડિયાએ એ વાતને નજરઅંદાજ કરી છે કે, મેં તે સમયે ફિલ્મ 'સંથુ સ્ટ્રેટ ફોરવર્ડ' વિશે વાત કરી હતી, જેનો મને સૌથીવધુ આનંદ આવ્યો હતો. જ્યારે તમે શોના સૌથી બિન-ગંભીર ભાગમાંથી માત્ર બે લીટીઓ એડિટ કરીને શોને સ્પિન કરો છો, ત્યારે સમગ્ર સારખોવાઈ જાય છે. તે ખરેખર દુઃખદ છે'.

મેં હંમેશા તેમના કામની પ્રશંસા કરી છે'
તેણે આગળ લખ્યું, 'તે મારું નિવેદન નહીં પરંતુ એક રેપિડ ફાયર ગેમ હતી અને મેં ક્યારેય સપનું પણ ન હતું વિચાર્યું કે, હું તેના વખાણઅને તેના વિશે મેં જે સકારાત્મક વાતો કહી છે તેને અવગણીને માત્ર આ બાબતને ગંભીરતાથી લઈશ. મારાથી કોઈની લાગણી દુઃભાઈ હોયતો માફ કરશો. મારો એવો કોઈ ઈરાદો ન હતો. હું દરેકને મારા વધુ ઈન્ટરવ્યુ અને ફેસબુક લાઈવ જોવા વિનંતી કરું છું, જેમાં મેં યશ સરનાકામના વખાણ કર્યા છે અને મેં ઘણી વખત મારી ઈચ્છા વ્યક્ત કરી છે કે, હું તેમની સાથે કામ કરવા ઈચ્છું છું.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
