સુપરહિટ શોમાં કામ કર્યા બાદ પણ બેરોજગાર છે આ 5 અભિનેત્રીઓ
સામાન્ય માણસની જેમ સેલિબ્રિટીના જીવનમાં પણ સંઘર્ષ હોય છે. ખાસ કરીને ટીવી સ્ટાર્સના જીવનમાં. ઘણા શો વર્ષો અને વર્ષો સુધી ચાલે છે, પરંતુ તે પછી પણ આ સિરિયલોમાં કામ કરતા સ્ટાર્સ પાસે કામનો અભાવ છે.
સામાન્ય માણસની જેમ સેલિબ્રિટીના જીવનમાં પણ સંઘર્ષ હોય છે. ખાસ કરીને ટીવી સ્ટાર્સના જીવનમાં. ઘણા શો વર્ષો અને વર્ષો સુધી ચાલે છે, પરંતુ તે પછી પણ આ સિરિયલોમાં કામ કરતા સ્ટાર્સ પાસે કામનો અભાવ છે. આજે અમે તમારા માટે આવી જ કેટલીક ટીવી અભિનેત્રીઓનું લિસ્ટ લાવ્યા છીએ, જેમણે હિટ અને લોકપ્રિય શોમાં કામ કર્યું હતું, પરંતુ તેમ છતાં તેઓ આજે બેરોજગાર છે.
સુમોના ચક્રવર્તી :
સુમોના ચક્રવર્તીએ 'બડે અચ્છે લગતે હૈં' અને 'ખોટે સિક્કે' જેવી ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. આ સિવાય તેણેફિલ્મ બરફીમાં પણ કામ કર્યું હતું. આવા સમયે, 'ધ કપિલ શર્મા શો' માં ભૂરીનું પાત્ર ભજવનારી સુમોનાને હજૂ પણ સારી નોકરી મળી નથી.આ બાબતે તેમણે ઘણી વખત નારાજગી પણ વ્યક્ત કરી છે.
નિયા શર્મા :
નિયા શર્માએ 'એક હજારો મેં મેરી બેહના હૈ' અને 'જમાઈ રાજા' જેવા હિટ શોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ બંને શો વચ્ચેલગભગ 9 મહિનાનું અંતર હતું. આવા સમયે નિયા પાસે કોઈ કામ ન હતું. ત્યારપછી નિયા મુંબઈમાં એકલી રહેતી હતી પણ તેણે હિંમત નહારી.
ઉર્વશી ધોળકિયા :
હવે વાત કરીએ પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયાની જે 17 વર્ષની ઉંમરમાં બે બાળકોની માતા બની હતી. તેણેએકતા કપૂરના હિટ શો 'કસોટી ઝિંદગી કી'માં 'કોમોલિકા' ની ભૂમિકા ભજવી હતી, જેના પછી તેને ઘરે-ઘરે ઓળખ મળી હતી. મીડિયારિપોર્ટ્સ અનુસાર, આ રોલને કારણે ઉર્વશીને મોટી ઑફર મળી નથી. કારણ કે બધા તેને કોમોલિકાના પાત્ર સાથે જોડતા હતા.
શ્વેતા તિવારી :
શ્વેતા તિવારીનું નામ ટીવીની ટોપ એક્ટ્રેસમાં શામેલ છે. એક સમય એવો હતો, જ્યારે તેની કારકિર્દી ઉંચાઈ પર હતી. જોકે,આ પછી પણ શ્વેતા હિંમત હારી નહીં, તેણે ટીવી રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 11'થી કમબેક કર્યું હતું.
રૂબીના દિલાઈક :
ટીવી સીરિયલ 'છોટી બહુ'થી લોકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેત્રી રૂબીના દિલાઈકે ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે,પરંતુ એક સમય એવો હતો, જ્યારે રૂબીના પાસે કોઈ કામ ન હતું. રૂબીનાએ જણાવ્યું હતું કે, તે ઘરમાં ખાલી બેસી રહેવા માંગતી નથી. આકારણોસર તેણે 'ખતરો કે ખિલાડી 12'ની ઓફર સ્વીકારી હતી.