મનોરંજનજગતમાંથી આવ્યા માઠા સમાચાર, વર્કઆઉટ દરમિયાન આ ટીવી એક્ટરનું નિધન
ટેલિવિઝન જગતમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. એક્ટર સિદ્ધાંત વીર સુર્યવંશીનું વર્કઆઉક કરતા સમયે હાર્ટએટેક આવતા નિધન થયું છે. સિદ્ધાંતની ઉંમર 46 વર્ષ હતી. સિદ્ધાંત ટીવી ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે.
ટેલિવિઝન જગતમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. એક્ટર સિદ્ધાંત વીર સુર્યવંશીનું વર્કઆઉક કરતા સમયે હાર્ટએટેક આવતા નિધન થયું છે. સિદ્ધાંતની ઉંમર 46 વર્ષ હતી. સિદ્ધાંત ટીવી ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તેમના આકસ્મિક અવસાનથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ સર્જાયો છે.

હૃદયરોગના હુમલાને કારણે થયું નિધન
આ અંગે મળતી માહિતી મુજબ સિદ્ધાંત સવારે વર્કઆઉટ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ડૉક્ટર્સની ટીમે લગભગ 45 મિનિટ સુધી સિદ્ધાંતની સારવાર કરી અને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટર્સ તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
જે બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 15 ડિસેમ્બરના રોજ સિદ્ધાંત પોતાનો 47મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો હતો.

જય ભાનુશાળીએ કરી પોસ્ટ
જય ભાનુશાળીએ સિદ્ધાંત વીર સૂર્યવંશીના મૃત્યુ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. અભિનેતાએ તેના મિત્રને યાદ કરીને એક ભાવનાત્મક પોસ્ટ કરી હતી. જય ભાનુશાળીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સિદ્ધાંતની તસવીર પોસ્ટ કરી અને લખ્યું હતું કે, ભાઈ, તમે બહુ જલ્દી જતા રહ્યા.
આ ટીવી સિરિયલોમાં કર્યું છે કામ
સિદ્ધાંત વીર સૂર્યવંશી એક લોકપ્રિય ટીવી અભિનેતા હતા, પરંતુ તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. મોડલિંગમાં ઘણું કામ કર્યા બાદ તેણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો.
તેની ડેબ્યુ ટીવી સિરિયલ 'કુસુમ' હતી. આ પછી સિદ્ધાંત ઘણી લોકપ્રિય ટીવી સીરિયલ્સમાં જોવા મળ્યો, જેમાં તે 'કસૌટી જિંદગી કી', 'ક્રિષ્ના અર્જુન', 'ક્યા દિલ મેં હૈ' જેવી સીરિયલ્સમાં જોવા મળ્યો છે.












Click it and Unblock the Notifications
