For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભિનેતા શાહરૂખ ખાનને ગુજરાત હાઇકોર્ટે આપી રાહત, નીચલી અદાલતના નિર્ણય પર સ્ટે

ડોન લતીફના પુત્રએ વર્ષ 2016માં રઈસ ફિલ્મના અભિનેતા શાહરૂખખાન, નિર્માતા ગૌરીખાન અને ફરહાન અખ્તર સામે અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડનો માનહાનિનો દાવો કરેલો છે. જેમાં નીચલી અદાલતે લતીફના વારસદારોને પક્ષકાર તરીકે જોડાવા

|
Google Oneindia Gujarati News

ડોન લતીફના પુત્રએ વર્ષ 2016માં રઈસ ફિલ્મના અભિનેતા શાહરૂખખાન, નિર્માતા ગૌરીખાન અને ફરહાન અખ્તર સામે અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડનો માનહાનિનો દાવો કરેલો છે. જેમાં નીચલી અદાલતે લતીફના વારસદારોને પક્ષકાર તરીકે જોડાવા માટે મંજૂરી આપેલી. જેની સામે શાહરૂખ ખાન, ગૌરીખાન, ફરહાન અખ્તર અને રાહુલ ધોળકિયાએ કરેલી અરજીમાં હાઈકોર્ટે તેમને વીસ જુલાઈ સુધી રાહત આપી છે.

Shahrukh Khan

હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે કે, નીચલી અદાલતના હુકમ પર વીસ જુલાઈ સુધી રોક લગાવવામાં આવે છે. આ ઉપરાંત હાઈકોર્ટે લતીફના વારસદારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 20 જુલાઈએ હાથ ઘરાશે. શાહરૂખ ખાનની હાઈકોર્ટમાં રજૂઆત શાહરૂખ અને અન્ય અરજદારોના વકીલની રજૂઆત હતી કે, ફરિયાદીના નિધન બાદ દાવાની અરજી ટકવાપાત્ર રહેતી નથી. જેથી આ અરજીમાં ફરિયાદીના વારસદારને પક્ષકાર બનવાની મંજૂરી આપતો નીચલી અદાલતનો હુકમ અયોગ્ય છે.

અમદાવાદ સિવિલ કોર્ટનો હુકમ લતીફનો પુત્ર મુસ્તાક આ કેસમાં મૂળ અરજદાર છે. જો કે, છ જુલાઈ-2020ના રોજ તેનુ નિધન થયેલુ છે. આ પછી, તેની વિધવા અને બે દિકરીઓએ આ અરજીમાં પક્ષકાર બનવા માટે અરજી કરેલી. જેમાં, ચાલુ વર્ષે એપ્રિલ માસમાં સિવિલ કોર્ટે આ અરજીને સ્વીકારેલી છે. કેસની વિગત ડોન લતીફના પુત્ર મુસ્તાકે રઈસ ફિલ્મના અભિનેતા, નિર્માતા સામે વર્ષ 2016માં અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડના માનહાનિના દાવાની અરજી કરી હતી.

અરજદારનો દાવો હતો કે, આ ફિલ્મ તેના પિતા લતીફના જીવન પર આધારિત છે અને તેમાં તેના પિતાના પાત્રને ખોટી રીતે દર્શાવવામાં આવેલુ છે. જેના લીધે, તેમની સામાજિક શાખને ભારે નુકસાન પહોંચ્યું છે. જેથી, વળતર પેટે 18 ટકા વ્યાજ સાથે દાવાની આ રકમ અરજી ફાઈલ કર્યાની તારીખથી ચુકવવામાં આવે. આ દાવા બાદ, છ જુલાઈ-2020ના રોજ અરજદાર મુસ્તાકનુ નિધન થયેલુ છે. વર્ષ 1997માં લતીફનુ એન્કાઉન્ટર થયેલુ વર્ષ 1997માં ગુજરાત પોલીસ દ્વારા લતીફનુ એન્કાઉન્ટર કરાયેલુ. લતીફ સામે બુટલેગિંગ સંદર્ભના 97 જેટલા ક્રિમિનલ કેસ નોંધાયેલા હતા. આ ઉપરાંત, ટાડાના કાયદા હેઠળ પર તેની સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.

English summary
Gujarat High Court grants relief to actor Shah Rukh Khan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X