અભિનેતા શાહરૂખ ખાનને ગુજરાત હાઇકોર્ટે આપી રાહત, નીચલી અદાલતના નિર્ણય પર સ્ટે
ડોન લતીફના પુત્રએ વર્ષ 2016માં રઈસ ફિલ્મના અભિનેતા શાહરૂખખાન, નિર્માતા ગૌરીખાન અને ફરહાન અખ્તર સામે અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડનો માનહાનિનો દાવો કરેલો છે. જેમાં નીચલી અદાલતે લતીફના વારસદારોને પક્ષકાર તરીકે જોડાવા
ડોન લતીફના પુત્રએ વર્ષ 2016માં રઈસ ફિલ્મના અભિનેતા શાહરૂખખાન, નિર્માતા ગૌરીખાન અને ફરહાન અખ્તર સામે અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડનો માનહાનિનો દાવો કરેલો છે. જેમાં નીચલી અદાલતે લતીફના વારસદારોને પક્ષકાર તરીકે જોડાવા માટે મંજૂરી આપેલી. જેની સામે શાહરૂખ ખાન, ગૌરીખાન, ફરહાન અખ્તર અને રાહુલ ધોળકિયાએ કરેલી અરજીમાં હાઈકોર્ટે તેમને વીસ જુલાઈ સુધી રાહત આપી છે.

હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે કે, નીચલી અદાલતના હુકમ પર વીસ જુલાઈ સુધી રોક લગાવવામાં આવે છે. આ ઉપરાંત હાઈકોર્ટે લતીફના વારસદારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 20 જુલાઈએ હાથ ઘરાશે. શાહરૂખ ખાનની હાઈકોર્ટમાં રજૂઆત શાહરૂખ અને અન્ય અરજદારોના વકીલની રજૂઆત હતી કે, ફરિયાદીના નિધન બાદ દાવાની અરજી ટકવાપાત્ર રહેતી નથી. જેથી આ અરજીમાં ફરિયાદીના વારસદારને પક્ષકાર બનવાની મંજૂરી આપતો નીચલી અદાલતનો હુકમ અયોગ્ય છે.
અમદાવાદ સિવિલ કોર્ટનો હુકમ લતીફનો પુત્ર મુસ્તાક આ કેસમાં મૂળ અરજદાર છે. જો કે, છ જુલાઈ-2020ના રોજ તેનુ નિધન થયેલુ છે. આ પછી, તેની વિધવા અને બે દિકરીઓએ આ અરજીમાં પક્ષકાર બનવા માટે અરજી કરેલી. જેમાં, ચાલુ વર્ષે એપ્રિલ માસમાં સિવિલ કોર્ટે આ અરજીને સ્વીકારેલી છે. કેસની વિગત ડોન લતીફના પુત્ર મુસ્તાકે રઈસ ફિલ્મના અભિનેતા, નિર્માતા સામે વર્ષ 2016માં અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડના માનહાનિના દાવાની અરજી કરી હતી.
અરજદારનો દાવો હતો કે, આ ફિલ્મ તેના પિતા લતીફના જીવન પર આધારિત છે અને તેમાં તેના પિતાના પાત્રને ખોટી રીતે દર્શાવવામાં આવેલુ છે. જેના લીધે, તેમની સામાજિક શાખને ભારે નુકસાન પહોંચ્યું છે. જેથી, વળતર પેટે 18 ટકા વ્યાજ સાથે દાવાની આ રકમ અરજી ફાઈલ કર્યાની તારીખથી ચુકવવામાં આવે. આ દાવા બાદ, છ જુલાઈ-2020ના રોજ અરજદાર મુસ્તાકનુ નિધન થયેલુ છે. વર્ષ 1997માં લતીફનુ એન્કાઉન્ટર થયેલુ વર્ષ 1997માં ગુજરાત પોલીસ દ્વારા લતીફનુ એન્કાઉન્ટર કરાયેલુ. લતીફ સામે બુટલેગિંગ સંદર્ભના 97 જેટલા ક્રિમિનલ કેસ નોંધાયેલા હતા. આ ઉપરાંત, ટાડાના કાયદા હેઠળ પર તેની સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
