લગ્નના 12 વર્ષ પછી હેમા માલિનીની દીકરી ઈશા દેઓલના થયા ડિવૉર્સ, પતિ ભરત તખ્તાનીએ આપ્યુ આવુ નિવેદન
Esha Deol Divorce: હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી અને રાજનેતા હેમા માલિનીની પુત્રી એશા દેઓલ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર છે કે એશા દેઓલ અને તેના પતિ બિઝનેસમેન ભરત તખ્તાનીએ કથિત રીતે પુષ્ટિ કરી છે કે તેઓ છૂટાછેડાની અફવાઓ વચ્ચે અલગ થઈ રહ્યા છે.
હાલમાં આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. દિલ્હી ટાઈમ્સના અહેવાલ અનુસાર, એશા દેઓલ અને ભરત તખ્તાનીએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં લખ્યું છે - અમે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા જીવનમાં આ પરિવર્તન દ્વારા, અમારા બંને બાળકોનુ સર્વોત્તમ હિત અને કલ્યાણ અમારા માટે હંમેશા મહત્વના છે અને રહેશે. અમે એ વાતની પ્રશંસા કરીશું કે અમારી ગોપનીયતાનો આદર કરવામાં આવ્યો છે.

અગાઉ, રેડિટ પર એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એશા દેઓલ અને ભરત તખ્તાની કદાચ અલગ થઈ ગયા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે છૂટાછેડાને કારણે એશા દેઓલ અને તેના પતિ ભરત તખ્તાની હવે જાહેરમાં સાથે જોવા મળતા નથી. એટલું જ નહીં, આ પોસ્ટમાં યુઝરે એવો પણ દાવો કર્યો છે કે ભરત તેની પત્ની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભરતનું અન્ય મહિલા સાથે અફેર ચાલી રહ્યુ છે.
રેડિટ યુઝરે તેની પોસ્ટમાં એવો પણ દાવો કર્યો છે કે તેણે ઈશાના પતિ ભરતને બેંગલુરુમાં ન્યૂ યરના દિવસે એક પાર્ટીમાં જોયો હતો. આ પાર્ટીમાં તે તેની એક કથિત ગર્લફ્રેન્ડ સાથે હતો. પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભરતની નવી ગર્લફ્રેન્ડ બેંગલુરુમાં રહે છે. જો કે હજુ સુધી આ અહેવાલો પર દેઓલ પરિવાર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે એશા દેઓલે 29 જૂન 2012ના રોજ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ઇસ્કોન મંદિરમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ પછી, દંપત્તિ પુત્રી રાધ્યાના માતાપિતા બન્યા અને પછી વર્ષ 2019માં, ઈશાએ તેમની બીજી પુત્રી મિરાયા તખ્તાનીને જન્મ આપ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
