હું ખૂબ જ આળસુ અભિનેત્રી છું : કાજોલ
મુંબઇ, 15 સપ્ટેમ્બર : અભિનેત્રી કાજોલ ટૂંક સમયમાં મોટા પરદા પર કમ બેક કરવા જઇ રહી છે, પરંતુ તેમનું કહેવું છે કે તે ખૂબ જ આળસુ અભિનેત્રી છે. 39 વર્ષની કાજોલે વર્ષ 2001માં અભિનયથી દૂર થઇ ગઇ હતી, ત્યારબાદ તેણે વર્ષ 2006માં રોમેન્ટિક ફિલ્મ 'ફના'થી ફિલ્મોમાં કમબેક કર્યું હતું.
ત્યારબાદ તે માત્ર મહેમાન ભૂમિકામાં દેખાઇ હતી. છેલ્લે તે કરણ જોહરના પ્રોડક્શનની ફિલ્મ 'વી આર ફેમિલી'માં પ્રમુખ ભૂમિકા દેખાઇ હતી. કાજોલે જણાવ્યું કે 'હું ખૂબ જ આળસુ છું... હું હદ કરતા વધારે કામ અને ફિલ્મો નથી કરી શકતી. મારા માટે વર્ષમાં બે ફિલ્મ પૂરતી છે અને એનાથી મને એવું પણ લાગે છે કે હું કામ કરી રહી છું. ત્યાં સુધી પોતાની નથી માનતી, જ્યાં સુધી તેની શૂટિંગ શરૂ ના કરી દઉ.'

ચર્ચામાં નહીં રહેવા છતા લોકોની પસંદગીની અભિનેત્રી બની રહેવાના સવાલ પર તેમણે જણાવ્યું કે 'બની શકે કે હું કામથી દૂર થઇ હોય, માટે લોકો મારી સાથે કામ કરવા માગતા હોય. હું 20 વર્ષથી કામ કરી રહી છું, પરંતુ મેં ખૂબ જ ઓછું કામ અને ઓછી ફિલ્મો કરી છે. એવા કેટલાય લોકો છે, જેમણે મારા કરતા ત્રણ કે ચાર ગણી વધારે ફિલ્મો કરી છે. કાજોલ હવે પોતાના પતિ અજય દેવગણના પ્રોડક્શનની ફિલ્મથી કમબેક માટે તૈયાર છે.'
કાજોલે જણાવ્યું કે 'ફિલ્મની પટકથા અને અન વાર્તા ખૂબ જ સારી છે પરંતુ હજી હું આ અંગે વધુ વાત ના કરી શકું.' તેમણે જણાવ્યું કે નિશ્ચિતપણે હું સતત ફિલ્મો કરતી રહીશ, પરંતુ મારે થોડો સમય પણ જોઇએ. મારો એક હર્યોભર્યો પરિવાર છે- પતિ, બે બાળકો, ઘર, પ્રોડક્શન કંપની અને અન્ય વસ્તુઓ... માટે હું એવી જ ફિલ્મ કરુ છું જેનાથી લાગે કે આ ફિલ્મને કરવી જરૂરી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
