કરીના કાયમ ખુશ અને હસતા રહે : શાહિદ
મુંબઈ, 17 ઑક્ટોબર : સૈફૃ-કરીનાએ લગ્ન કર્યા બાદ બૉલીવુડથી લઈ સામાન્ય માણસ તમામ બંનેને અભિનંદન આપી રહ્યાં છે. તમામ બંનેના સુખદ ભાવીની કામના કરી રહ્યાં છે. અજય દેવગણ અને કાજોલે સૈફરીનાને શુભેચ્છાઓ આપી, તો કરીનાના પૂર્વ પ્રેમી શાહિદ કપૂરે પણ સૈફ-કરીનાને લગ્નની મુબારકબાદી પાઠવી છે.
શાહિદે એક સમારંભમાં સૈફ-કરીનાને લગ્નની શુભેચ્છાઓ પાઠવી. શાહિદે જણાવ્યું કે કરીના ખુશ રહે અને હસતા રહે. તેનાથી વધુ શું જોઇએ? કરીના એક શ્રેષ્ઠ અભિનેત્રી છે. તેથી તેઓ એવું વિચારે છે કે તેઓ ફિલ્મોમાં લગ્ન બાદ પણ સક્રિય રહેશે. જોકે શાહિદ એ વાત ટાળી ગયા કે તેમને સૈફ-કરીનાના લગ્નનું આમંત્રણ મળ્યુ હતું કે નહિં?
નોંધનીય છે કે મંગળવારે સૈફ-કરીનાએ રજિસ્ટર્ડ મૅરેજ કર્યાં હતાં. તમામ ઔપચારિકતાઓ સૈફના બાંદ્રા વાળા ઘરે ગઈકાલે બપોરે સમ્પન્ન થઈ. લગ્નનું એક સમારંભ આજે દિલ્હીમાં અને પછી એક પાર્ટી આવતીકાલે પટૌડી પૅલેસ-ગુડગાંવ ખાતે યોજાશે. લગ્ન બાદ સૈફ-કરીનાએ પોતાના ઘરની બાલ્કનીમાં આવી લોકોનું અભિવાદન સ્વીકાર્યું અને લોકોનો આભાર વ્યક્ત કર્યોં. 18મીથી 21મી તારીખ સુધી સૈફ-કરીના પટૌડી પૅલેસમાં જ રહેશે.