For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત વિશે કરેલ દાવો સાબિત ન કરી શકુ તો પદ્મશ્રી સમ્માન પાછુ આપી દઈશઃ કંગના રનોત

કંગનાએ કહ્યુ કે જો સુશાંત વિશે કરેલા પોતાના દાવાને તે સાબિત નહિ કરી શકે તો તે પોતાનુ પદ્મશ્રી સમ્માન પાછુ આપી દેશે. જાણો વિગત..

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મગત્યા બાદ સતત બૉલિવુડમાં નેપોટિઝમ વિશે ચર્ચા ચાલી રહી છે. બૉલિવુડ બે જૂથમાં વહેંચાઈ ગયુ છે. એક જૂથ નેપોટિઝમની વિરુદ્ધ સતત ખુલીને નિવેદન આપી રહ્યુ છે તો બીજુ જૂથ આનુ સમર્થન કરી રહ્યુ છે અને પ્રતિભાને જ આગળ વધારવાનો દાવો કરી રહ્યુ છે. નેપોટિઝમ સામે અભિનેત્રી કંગના રનોત સતત નિવેદન આપી રહી છે. સુશાંતના મોત બાદ કંગનાએ સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફેલાયેલા ભેદભાવ સામે મોરચો ખોલી દીધો છે અને તેણે સુશાંતના મોત માટે પણ આ ભેદભાવને જવાબદાર ગણાવ્યો છે. આ દરમિયાન કંગનાએ કહ્યુ કે જો સુશાંત વિશે કરેલા પોતાના દાવાને તે સાબિત નહિ કરી શકે તો તે પોતાનુ પદ્મશ્રી સમ્માન પાછુ આપી દેશે.

સાબિત ના કરી શકી તો પાછો આપી દઈશ પદ્મશ્રી

સાબિત ના કરી શકી તો પાછો આપી દઈશ પદ્મશ્રી

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યુ કે જો તે સુશાંત સિંહ રાજપૂતના મોત વિશે કરેલા પોતાના દાવાને સાબિત નહિ કરી શકે તો તે પોતાનુ પદ્મશ્રી સમ્માન પાછુ આપી દેશે. તેણે કહ્યુ કે પોલિસે મને પણ સમન કર્યુ છે અને મે તેમને એ અંગેની માહિતી આપી છે કે હું મનાલીમાં છુ, તમે કોઈને અહીં મોકલી શકો છો અને હું મારુ નિવેદન આપીશ પરંતુ મને હજુ સુધી તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી. કંગનાએ કહ્યુ કે હું તમને જણાવી રહી છુ કે જો મે કંઈ કહ્યુ છે તો હું એ સાબિત કરી શકુ છુ, અમુક વાતો લોકો સામે નથી પરંતુ જો હું તેેને સાબિત ન કરી શકી તો પોતાનુ પદ્મશ્રી સમ્માન પાછુ આપી દઈશ.

14 જૂને થયુ હતુ સુશાંતનુ મોત

14 જૂને થયુ હતુ સુશાંતનુ મોત

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતનુ મોત 14 જૂનના રોજ થયુ હતુ. તેણે પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. માહિતી અનુસાર તે છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતા અને આના લીધો તેમણે આ પગલુ લીધુ. સુશાંતના મોત બાદ કંગના રનોતે અમુક વીડિયો શેર કરીને સુશાંત પર માનસિક દબાણ હોવા અંગે વાત કરી હતી અને જણાવ્યુ હતુ કે કેવી રીતે સુશાંતને બૉલિવુડ અને મીડિયા બંને નિશાન બનાવી રહ્યા હતા. તેણે મીડિયામાં સુશાંત વિશે છપાયેલ બ્લાઈન્ડ આર્ટિકલને શેર કરીને મીડિયા પર નિશાન સાધ્યુ હતુ અને કહ્યુ કે આ સુસાઈડ નહિ એક સુનિયોજિત હત્યા છે અને આની પાછળ મૂવી માફિયા છે.

કંગનાએ લગાવ્યા હતા આ સંગીન આરોપ

કંગનાએ લગાવ્યા હતા આ સંગીન આરોપ

કંગનાએ સુશાંતના પિતા, પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે અને ફિલ્મ નિર્માતા શેખર કપૂરના નિવેદનનો હવાલો આપીને ઘણા આરોપ લગાવ્યા. તેણે કહ્યુ કે જ્યારે મીડિયાએ મારા પર નિશાન સાધ્યુ તો મે ક્યારેય કંઈ નથી કહ્યુ ઉલટાનુ પત્રકારોનો સામનો કર્યો. જ્યારે આ લોકોએ મારી આઝાદીની લડાઈ સામે (ફિલ્મ - રાની લક્ષ્મીબાઈ) બોલ્યુ ત્યારે મે આ લોકોનો જોરદાર સામનો કર્યો. કંગનાએ કહ્યુ કે સુશાંત સિંહના મોતે સૌને ચોંકાવી દીધા છે પંરતુ એક વર્ગ એવો છે જે એ સાબિત કરવા માંગે છે કે સુશાંત ડિપ્રેશનમાં હતા, છેવટે કોઈ વ્યક્તિનુ દિમાગ એટલુ નબળુ કેવી રીતે હોઈ શકે જ્યારે તે એન્જિનિયરીંગની પરીક્ષામાં ટૉપનો છાત્ર રહ્યો હોય.

ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહના ક્રેડિટ-ડેબિટ કાર્ડનો કર્યો ઉપયોગગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહના ક્રેડિટ-ડેબિટ કાર્ડનો કર્યો ઉપયોગ

English summary
If I could not prove my claim on Sushant Singh Rajput death will return Padma shri: Kangana Ranaut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X