ઇંટીમેટ સીન્સ અન્ય દૃશ્યોની જેમ જ હોય છે : શ્રદ્ધા કપૂર
મુંબઈ, 23 એપ્રિલ : ટુંકમાં જ રિલીઝ થનાર આશિકી 2 ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું કહેવું છે કે તેઓ ફિલ્મની સારી વાર્તા તેમજ ભૂમિકા ઉપર ધ્યાન આપે છે, કારણ કે તે જ દર્શકોને વધુ અપીલ પણ કરે છે. તેથી જ સારી વાર્તાઓનો ભાગ તેઓ બનવા માંગે છે. ફિલ્મમાં ઇંટીમેટ સીન આપવા અંગે તેઓ કહે છે કે તે પણ ફિલ્મના અન્ય દૃશ્યોની જેમ જ હોય છે જે કે વાર્તાની જરૂરિયાત મુજબ રાખવામાં આવે છે.
શ્રદ્ધા કપૂર આ અગાઉ તીન પત્તી તેમજ લવ કા ધ એન્ડ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યાં છે. આશિકી 2 ફિલ્મમાં તેમના સહ-કલાકાર આદિત્ય રૉય કપૂર છે. આદિત્ય અંગે શ્રદ્ધાનું કહેવું છે - અમે બંને એક-બીજા સાથે ખૂબ જ સહજ છીએ. અમે શૂટિંગ દરમિયાન પણ એક-બીજા સાથે સારો એવો સમય પસાર કર્યો છે.
આદિત્ય રૉય કપૂર સાથે જોડી બનાવવા અંગે શ્રદ્ધા કપૂર કહે છે - મને અનેક લોકોએ કહ્યું છે કે અમારી જોડી ઘણી સારી દેખાય છે અને સાચુ પણ છે કે અમે ફિલ્મી પડદાની બહાર સારા એવા મિત્ર છીએ. આશિકી 2 ફિલ્મનું દિગ્દર્શન મોહિત સુરીએ કર્યું છે. ફિલ્મ 26મી એપ્રિલે રિલીઝ થવાની છે. અહીં એ યાદ અપાવવની જરૂર નથી કે શ્રદ્ધા કપૂર જાણીતા બૉલીવુડ વિલન શક્તિ કપૂરના પુત્રી છે.