For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનુરાગ કશ્યપની ગંદી હરકતો વિશે બધુ જાણે છે ઈરફાન પઠાણઃ પાયલ ઘોષ

અભિનેત્રી પાયલ ઘોષે હવે દાવો કર્યો છે કે તેણે અનુરાગના ગંદા વ્યવહાર વિશે પોતાના મિત્ર અને ક્રિકેટર ઈરફાન પઠાણને જણાવ્યુ હતુ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યમ પર યૌન શોષણનો આરોપ લગાવવા અને બાદમાં તેમની સામે રેપનો કેસ કરનાર અભિનેત્રી પાયલ ઘોષે હવે દાવો કર્યો છે કે તેણે અનુરાગના ગંદા વ્યવહાર વિશે પોતાના મિત્ર અને ક્રિકેટર ઈરફાન પઠાણને જણાવ્યુ હતુ અને તેને આશા હતી કે ઈરફાન તેની મદદ કરશે પરંતુ તે ચૂપ થઈ ગયા. જો કે રેપવાળી વાત તેણે ઈરફાનને નહોતી કહી.

મે ઈરફાનને બધુ કહ્યુ હતુઃ પાયલ ઘોષ

મે ઈરફાનને બધુ કહ્યુ હતુઃ પાયલ ઘોષ

પાયલે આ વિશે એક ટ્વિટ કર્યુ છે જેમાં તેણે સ્પષ્ટ લખ્યુ છે કે મે મારા દોસ્ત ઈરફાન પઠાણને એ નહોતુ જણાવ્યુ કે અનુરાગ કશ્યપે મારો રેપ કર્યો હતો પરંતુ તેમની સાથે થયેલી વાતચીત વિશે મે ઈરફાનને બધુ કહ્યુ હતુ, તેને બધી ખબર છે પરંતુ તે અત્યારે કંઈ બોલતા નથી, તે મારા સારા દોસ્ત હોવાનો દાવો કરે છે પરંતુ મને લાગે છે કે તે આ વિશે ટૂંક સમયમાં બધાને બતાવશે. આ સાથે જ પાયલ ઘોષે પોતાનો અને ઈરફાનનો એક ફોટો પણ શેર કર્યો છે.

'ઈરફાનની સામે જ આવ્યા હતા અનુરાગના મેસેજ'

'ઈરફાનની સામે જ આવ્યા હતા અનુરાગના મેસેજ'

પાયલે આગળ લખ્યુ છે કે વર્ષ 2014માં હોળીના એક દિવસ પહેલા અનુરાગ કશ્યપે મને મેસેજ કર્યો હતો, તે મને તેમના ઘરે બોલાવી રહ્યા હતા, એ વખતે ઈરફાન મારા ઘરે જ હતા અને તેમની સામે જ મેસેજ આવ્યો હતો પરંતુ મે ઈરફાનને કહ્યુ હતુ કે હું વીનિત જૈનના ઘરે જઈ રહી છુ, અનુરાગના નહિ, આશા રાખુ છુ કે તેમને તે યાદ હશે અને તે ટૂંક સમયમાં લોકો સામે સત્ય લાવશે.

'મારી હત્યા થઈ શકે છે માટે મને જોઈએ વાય કેટેગરીની સુરક્ષા'

'મારી હત્યા થઈ શકે છે માટે મને જોઈએ વાય કેટેગરીની સુરક્ષા'

તમને જણાવી દઈએ કે આ પહેલા પાયલ ઘોષે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને પત્ર લખીને પોતાના વકીલ અને પોતાના માટે વાય કેટેગરીની સુરક્ષા આપવાની માંગ કરી હતી કારણકે તેને લાગે છે કે તેની હત્યા થઈ શકે છે. આ પહેલા પણ પોતાની સુરક્ષા માટે પાયલ ઘોષે એક ટ્વિટ કર્યુ હતુ જેમાં તેણે લખ્યુ હતુ કે 'મિસ્ટર અનુરાગ કશ્યપ સામે મે એક જાણીતા પોર્ટલને આ ઘટના સાથે જોડાયલ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને બાદમાં મને ખબર પડી કે તેને આના માટે ખુદ કશ્યપની મંજૂરી જોઈતી હતી. ભારત, જો હું છત પર લટકેલી મળુ તો યાદ રાખજો કે મે સુસાઈડ નહિ કરી હોય.'

ફેમીનિસ્ટ કેમ બતાવે છે 'ક્લીવેજ'? જાણો સોના મહાપાત્રાનો જવાબફેમીનિસ્ટ કેમ બતાવે છે 'ક્લીવેજ'? જાણો સોના મહાપાત્રાનો જવાબ

English summary
Irfan Pathan know all the things in her case against Anurag Kashyap: Payal Ghosh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X