અંક જ્યોતિષોનો દાવો - ઇતિહાસ સર્જશે જબ તક હૈ જાન
મુંબઈ, 28 સપ્ટેમ્બર : આ વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મ જબ તક હૈ જાન કે જેનું દિગ્દર્શન યશ ચોપરા કરી રહ્યાં છે તેના અંગે અંક જ્યોતિષોનું કહેવું છે કે આ ફિલ્મ સાથે યશ ચોપરા અને શાહરુખ ખાન બંને ફરી એક વાર ઇતિહાસ સર્જશે.
ફિલ્મ જે દિવસે રિલીઝ થઈ રહી છે તે દિવસે તારીખ છે 13મી નવેમ્બર. નવેમ્બરમાં જ શાહરુખનો જન્મ દિવસ છે. સરવાળે યશ ચોપરા અને શાહરુખ ખાનના સિતારાં કહે છે કે આ ફિલ્મ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ હશે અને એટલો બધો બિઝનેસ કરશે કે છેલ્લા ઘણાં વર્ષોમાં કોઈ ફિલ્મે ન કર્યો હોય.
એક ડેલીમેલના જણાવ્યા મુજબ અંક જ્યોતિષોએ દાવો કર્યો છે કે આ ફિલ્મ કે જે યશ ચોપરા દિગ્દર્શિત છેલ્લી ફિલ્મ છે તે ભારતીય સિનેમાની સૌથી યાદગાર ફિલ્મ હશે.
આપને જણાવી દઇએ કે ફિલ્મ જબ તક હૈ જાનમાં શાહરુખ ખાન, કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા છે. ફિલ્મમાં સંગીત એ. આર. રહેમાનનું છે, તો ગીતો ગુલઝારે લખ્યાં છે. પહેલાં જ ટ્રેલરે લોકોનો ધ્યાન ફિલ્મ તરફ ખેંચાયો છે.
સૌ આશા સેવે છે કે આ ફિલ્મ યશ ચોપરાની બહેતરીન ફિલ્મોમાંની એક હશે. એ જોવું રસપ્રદ રહેશે કે જબ તક હૈ જાન યશ-શાહરુખ માટે દીવાળીનો ધડાકો સાબિત થાય છે કે નહિં. અને આવા પંડિતોની વાતોમાં કેટલો દમ છે?