બર્ફી તો ઠંડી પડી, પણ પાઇ પમાડી શકશે ઑસ્કાર ?
મુંબઈ, 11 જાન્યુઆરી : ફરી એક વાર ઑસ્કાર ઍવૉર્ડ માટે ભારતીયોની આશાઓ જીવંત બની ગઈ છે. તે આશાઓ કે જે બર્ફીના કારણે ક્યાંક ઠંડી પડી ગઈ હતી, કારણ કે તે ઑસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ આ વખતે ઑસ્કારમાં ફરી એક વાર આંગ લી દિગ્દર્શિત લાઇફ ઑફ પાઇ ફિલ્મનું નૉમિનેશન થયું છે. તે પણ 11 શ્રેણીઓમાં કે જેથી લાગે છે કે કદાચ આ વખતે એક ઑસ્કાર ઍવૉર્ડ ભારતની શ્રેણીમાં આવી જશે.

આપને જણાવી દઇએ કે ભારતીય કર્ણાટક સંગીત ગાયિકા બંબઈ જયશ્રી રામનાથને લાઇફ ઑફ પાઇના એક ગીત માટે સંગીતકાર માઇકલ ડાના સાથે ઓરિજનલ સૉંગ શ્રેણીમાં નૉમિનેટ કરાયું છે, તો બીજી બાજુ સ્ટિવન સ્પીલબર્ગની લિંકન ફિલ્મને 12 નૉમિનેશન મળ્યાં છે. આ ફિલ્મના નિર્માણમાં મુકેશ અંબાણીની કમ્પનીએ નાણાં રોક્યા છે, તો બીજી બાજુ વિડ ઓ રસેલ દિગ્દર્શિત ધ સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક ફિલ્મ પણ ઑસ્કાર માટે ગઈ છે. તેમાં અનુપમ ખેરે ભૂમિકા ભજવી છે. તેથી ભારતને લાગે છે કે આ વખતે કોઈને કોઈ સ્વરૂપે ઑસ્કાર ઍવૉર્ડ ભારત પામીને જ રહેશે.
નોંધનીય છે કે વર્ષ 2012ની જાણીતી ફિલ્મ બર્ફી કે જેના નિર્માતા અનુરાગ બાસુ છે, તેને વિદેશી ફિલ્મોની શ્રેણીમાં નૉમિનેટ કરાઈ હતી, પરંતુ પછી તે રેસમાંથી ફેંકાઈ ગઈ હતી. પરંતુ આશ્ચર્ય એ વાતનું થયુ હતું કે બર્ફીના નૉમિનેશન વખતે ભારતમાં જ ખૂબ હોબાળો મચ્યો હતો. ખેર આ વાત તો જૂની થઈ ગઈ છે. જોઇએ આ વખતે કેવા સમાચાર આવે છે?
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન






Click it and Unblock the Notifications
