Pics : પ્રિયાના કારણે વધુ રિસ્પૉન્સિબલ થઈ ગયાં જ્હૉન!
મુંબઈ, 30 જુલાઈ : જ્હૉન અબ્રાહમ તથા પ્રિયા રુંચાલ વચ્ચે અફૅરના સમાચારો તો મીડિયામાં છવાયેલા જ રહે છે અને જ્હૉન પણ પ્રત્યક્ષ રીતે આ વિશે વાત કરવામાં કોઈ મુશ્કેલી નથી અનુભવતાં. જ્હૉનના ગર્લફ્રેન્ડ પ્રિયા રુંચાલ એક ઇન્વેસ્ટમેંટ બૅંકર છે અને જ્યારથી પ્રિયા રુંચાલ જ્હૉનના જીવનમાં આવ્યાં છે, ત્યારથી જ્હૉન અબ્રાહમ પોતાની પર્સનલ લાઇફ અંગે ખૂબ જ સજગ થઈ ગયાં છે. જ્હૉન હવે પોતાના પૈસા ઇન્વેસ્ટ કરવા અંગે ઘણું વિચારે છે.
આ અંગે પ્રશ્ન કરાતાં જ્હૉને ખૂબ જ સુંદર રીતે જવાપ આપ્યો - પ્રિયા આવ્યા બાદ હું વધું રિસ્પૉન્સિબલ અનુભવુ છું. હું પોતાના રોકાણો અંગે પણ ખૂબ જ સજગ થઈ ગયો છું. અગાઉ પણ હું પોતાની કમાણીમાંથી બચત કરતો હતો, પણ પ્રિયા મારી જિંદગીમાં આવ્યા બાદ હું વધુ સજગ થઈ ગયો છું અને સમજી-વિચારીને રોકાણ કરુ છું.
જ્હૉન અબ્રાહમે જણાવ્યું - હું એક્ટર અને નિર્માતા તરીકે બે જુદી-જુદી ઓળખ ધરાવુ છું, કારણ કે એક્ટર તરીકે તેઓ દિગ્દર્શકના એક્ટર છે, પણ નિર્માતા તરીકે તેઓ તે પ્રકારની ફિલ્મો બનાવે છે કે જેવી પોતે જોવાની પસંદ કરે છે.
નોંધનીય છે કે એક વખતે બૉલીવુડમાં જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુ વચ્ચે અફૅરની ચર્ચાઓ ચાલતી હતી, પણ પછી અચાનક બંને છુટા પડી ગયાં. જ્હૉન છેલ્લે શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં દેખાયા હતાં, જ્યારે તેમના નિર્માણ હેઠળની મદ્રાસ કૅફે ફિલ્મ ટુંકમાં જ રિલીઝ થશે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :
બે પ્રકારની ઓળખ ધરાવતાં જ્હૉન
જ્હૉન અબ્રાહમે જણાવ્યું - હું એક્ટર અને નિર્માતા તરીકે બે જુદી-જુદી ઓળખ ધરાવુ છું, કારણ કે એક્ટર તરીકે તેઓ દિગ્દર્શકના એક્ટર છે, પણ નિર્માતા તરીકે તેઓ તે પ્રકારની ફિલ્મો બનાવે છે કે જેવી પોતે જોવાની પસંદ કરે છે.
રોકાણ તો પહેલાં પણ કરતાં
જ્હૉને કહ્યું કે તેઓ પોતાના જીવનમાં પ્રિયા રુંચાલના આવ્યા પહેલાં પણ રોકાણ કરતા હતાં, પણ જ્યારથી પ્રિયા આવી છે, ત્યારથી પોતે પોતાને વધુ રિસ્પૉન્સિબલ અનુભવવા લાગ્યાં છે. હવે દસ વાર વિચારીને રોકાણ કરે છે.
મદ્રાસ કૅફેમાં જ્હૉન
જ્હૉનની આગામી ફિલ્મ મદ્રાસ કૅફે છે કે જે ખૂબ જ ટુંકી છે. એમ પણ ઑગસ્ટમાં ચેન્નઈ એક્સપ્રેસ, સત્યાગ્રહ, વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા જેવી મોટી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તેમની સામે મદ્રાસ કૅફે બહુ નાની કહેવાય.
એક્ટર તરીકે પણ
જ્હૉને જણાવ્યું કે મદ્રાસ કૅફે જો તેઓ નિર્માતા તરીકે ન કરત, તો એક્ટર તરીકે જરૂર કરત. સુજીત સરકારે ત્રણ-ચાર વરસ આ ફિલ્મની ઑફર કરી હતી, પણ તે વખતે ફિલ્મ બની ન શકી. અંતે ફિલ્મનું નિર્માણ કરવાનો તેમણે ફેંસલો કર્યો.
ફ્રિડા પ્રથમ પસંદગી
જ્હૉને જણાવ્યું કે મદ્રાસ કૅફે માટે પહેલા ફ્રિડા પિંટો સાથે વાત થઈ હતી, પણ તેઓ વ્યસ્ત હતાં. તેથી નરગિસ ફખરીને લેવામાં આવ્યાં.