પારિવારિક ફિલ્મો કરવી ગમે છે : જુહી ચાવલા
મુંબઈ, 22 જાન્યુઆરી : બૉલીવુડ ઉપર એક્શન અને રોમાંસનું રાજ ચાલે છે ત્યારે નિર્માતા રાજીવ કશ્યપ તથા દિગ્દર્શક રાજીવ એસ. રુઇયા મોસ્ટ થ્રિલર તેમજ એક્સાઇટેડ ફૅમિલી પૅક મૂવી મૈં કૃષ્ણા હૂં લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મ 25મી જાન્યુઆરીના રોજ રિલીઝ થનાર છે.
ફિલ્મ અંગે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતાં જુહી ચાવલા ખૂબ જ ખુશ જણાતા હતાં. તેઓ ફિલ્મમાં કાંતાબાઈનું પાત્ર ભજવી રહ્યાં છે અને આ પાત્રથી તેઓ ખૂબ જ અભિભૂત છે. ફિલ્મ અંગે ઉત્સુક જુહી ચાવલાએ જણાવ્યું - હું આ ફિલ્મ ખૂબ ગમી છે કે જે તમારા હૃદયને સ્પર્શી જશે. આ તમને હસાવશે, રડાવશે અને ખુશીની અનુભૂતિ પણ કરાવશે. આ ફિલ્મ કરવાનું મુખ્ય કારણ એ છે કે આ એક પારિવારિક ફિલ્મ છે અને મને વિશ્વાસ છે કે લોકોને આનંદ આવશે.
મૈં કૃષ્ણા હૂં ફિલ્મ એક અનાથ બાળક કૃષ્ણાની આસપાસ ફરે છે. કૃષ્ણા આ વાતથી ચિંતિત અને ડિપ્રેસ્ડ છે કે અનાથાલયમાં દત્તક લેવા આવતાં લોકો તેને દત્તક નથી લેતાં, પણ કદાચ જિંદગીએ તેના વિશે કંઈક અલગ જ વિચાર્યું રાખ્યું છે.
રાજીવ કશ્યપે જણાવ્યું - જાણીતી હસ્તીઓ સાથે કામ કરવાનો એક સુખદ અનુભવ હતો. જુહી ફૅબ્યુલસ અભિનેત્રી છે. તેમણે પોતાના રોલ સાથે પુરતો ન્યાય કર્યો છે અને સારું કામ કર્યું છે. હું એ વાતથી ખુશ છું કે મારી મોસ્ટ અવેટેડ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.