COVID 19: કંગના રણૌત, બહેન રંગોલી અને પીએનો કોરોના ટેસ્ટ થયો, આજે રિપોર્ટ આવી શકે
COVID 19: કંગના રણૌત, બહેન રંગોલી અને પીએનો કોરોના ટેસ્ટ થયો, આજે રિપોર્ટ આવી શકે
મનાલીઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રણૌત હાલ પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં છે. કંગના રણૌતને કેન્દ્ર સરકાર તરફથી વાઈ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકારે પણ કંગના રણૌતના ઘરે સુરક્ષા જવાનો તહેનાત કરી દીધા છે. આ દરમ્યાન સ્વાસ્થ્ય વિભાગની ટીમે કંગના રણૌતના ઘરે જઈ તેમનો અને તેમની બહેનનો કોવિડ 19 ટેસ્ટ કર્યો છે. મંગળવારે અભિનેત્રીનો કોરોના રિપોર્ટ આવનાર છે.

ટેસ્ટ શા માટે કરાયો?
ઉલ્લેખનીય છે કે કંગના 9 સપ્ટેમ્બરે મુંબઈ જવાની છે. એવામાં એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવેશ કરવા પર જો તેની પાસે કોવિડનો રિપોર્ટ હશે તો તેને એન્ટ્રીમાં પરેશાની નહિ થાય.

સીએમ જયરામનું નિવેદન
અગાઉ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે બૉલીવુડ અભિનેત્રી કંગના રણૌતના જીવનને ખતરામાં જોતાં રાજ્ય સરકારે તેમના પ્રવાસ અને આગમન દરમ્યાન પોલીસ સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કંગના રણૌને સીઆરપીએફ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો તે બદલ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

શાંતાએ પણ પત્ર લખ્યો
હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમારે પત્ર લખી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે કંગનાને સુરક્ષા આપવાનો આગ્રહ કર્યો છે. પૂર્વ સીએમે લખ્યું કે શિવસેના એકમાત્ર એવી પાર્ટી છે જે ભાજપ બાદ રાષ્ટ્રવાદનું સમર્થન કરે છે. આ દ્રષ્ટિએ કંગના રણૌતને શિવસેના તરફથી વધારે સહયોગ મળવો જોઈએ.
-
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
Ahmedabad : સુભાષ બ્રિજની કામગીરીને લઈને મોટા સમાચાર








Click it and Unblock the Notifications
