રંગોલીના નિશાના પર કરણ જોહર, 'કંગનાથી દૂર રહો, ક્યારે હશે તમારી પાસે તેને લાયક સ્ક્રિપ્ટ'
બોલિવુડની જાણીતી અભિનેત્રી કંગના રનોતની બહેન રંગોલી ચંદેલે ફિલ્મ નિર્માતા કરણ જૌહરને એકવાર ફરીથી નિશાના પર લીધા છે.
બોલિવુડની જાણીતી અભિનેત્રી કંગના રનોતની બહેન રંગોલી ચંદેલે ફિલ્મ નિર્માતા કરણ જૌહરને એકવાર ફરીથી નિશાના પર લીધા છે. આ પહેલા માનવામાં આવી રહ્યુ હતુ કે કરણ અને કંગના વચ્ચે ચાલી રહેલો તણાવ ખતમ થઈ ગયો છે. વાસ્તવમાં કંગનાને પદ્મશ્રી પુરસ્કાર મળવા પર કરણ જૌહરે કહ્યુ હતુ કે કાલે જો તેમની પાસે કોઈ ફિલ્મ હશે, જેના માટે તેમને કંગનાની જરૂર હશે તો તે તેમને ફોન કરશે.
કરણ જોહર પર સાધ્યુ નિશાન
હવે કરણની આ વાત પર રંગોલીએ એક સમાચારની લિંક શેર કરી અને કહ્યુ કે તેમની પાસે સ્ક્રિપ્ટ હશે તેના માટે. રંગોલીએ કહ્યુ, ‘કરણ જૌહરજી કહી તો એવી રીતે રહ્યા છે જેમકે ફોન કરવા પર કંગના આવી જાય છે, ભાઈસાહેબ તમારા કે મારા ઈચ્છવાથી શું થાય છે, કંગનાને તો સ્ક્રિપ્ટ જોઈતી હોય છે, શું ક્યારેય તમારી પાસે હશે તેના લાયક સ્ક્રિપ્ટ.'
કૃપા કરીને કંગનાથી દૂર રહો
એક અન્ય ટ્વિટમાં રંગોલીએ કહ્યુ, ‘છેલ્લી વાર કંગનાએ કરણ જૌહરની ફિલ્મ એડીએચએમ (એ દિલ હે મુશ્કીલ) જોઈ હતી, તે ગુસ્સામાં હતી અને તેણે મને કહ્યુ કે કેન્સરની દર્દીની કીમોથેરેપી ચારી રહી છે તો પણ પીછો કરનાર યુવક જબરદસ્તી કરે છે અને તેને કહે છે, હવે તો મારી થઈ જા, હવે તો તને કેન્સર છે. કંગના લાંબા સમય સુધી આશ્ચર્યમાં રહી. કરણ જૌહરજી જો આવી સ્ક્રિપ્ટ લઈને આવશો તો તમને ભગવાન પણ બચાવી નહિ શકે, કૃપા કરીને કંગનાથી દૂર રહો, બધાની ભલાઈ આમાં જ છે.'
141 લોકોને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર આપવાનુ એલાન
કરણે મુંબઈ મિરરને આપેલા પોતાના ઈન્ટરવ્યુમાં કંગના વિશે કહ્યુ હતુ, જે પણ સમસ્યા છે, સોશિયલ મીડિયાપર જે કંઈ પણ કહેવામાં આવ્યુ છે, તે મારા માટે મહત્વ નથી રાખતુ. હું એક ફિલ્મ નિર્માતા છુ અને તે એક કલાકાર છે અને અંગત વસ્તુઓ એ સંબંધના રસ્તામાં ન આવવી જોઈએ. હું આના પર વિશ્વાસ કરુ છે અને એની સાથે ઉભો રહીશ. તમને જણાવી દઈએ કે કરણ જોહર અને કંગના રનોત સાથે 141 લોકોને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર આપવાનુ એલાન કરવામાં આવ્યુ છે. ફિલ્મ નિર્માતા કરણ જોહર, કંગના રનોત ઉપરાંત ટીવી ક્વીન એકતા કપૂર, ગાયક સુરેશ વાડકર, અદનાન સામી, ટીવી અભિનેત્રી સરિતા જોશીને પણ પદ્મશ્રી સમ્માન આપવાનુ એલાન થયુ છે.
આ પણ વાંચોઃ શાહરુખની બહેન નૂરજહાંનુ પાકિસ્તાનમાં નિધન, કેન્સરથી હતા પીડિત