મનોમન તો ક્યારનીય પરણી ગઈ છું સૈફને - કરીના
કરીનાનું કહેવું છે કે તેમના અને સૈફના લગ્ન થઈ ચુક્યાં છે.
તાજેતરમાં જ કરીના કપૂરે જણાવ્યું હતું, ‘જે દિવસે હું સૈફને મળી હતી, તે જ વખતે હું મનોમન તેને પરણી ચુકી હતી.'
હવે કરીનાની આ વાતનો આપણે શો અર્થ કાઢવો? એ જ ને કે કરીનાના લગ્ન તો પહેલાં જ થઈ ચુક્યાં છે, તો તેથી જ કરીના પોતાનાઆ લગ્નને લઈને વધુ ઉત્સાહિત નથી અને પોતાના લગ્ન અંગે કઈં પણ કહેવાથી બચી રહછે.
બીજી બાજુ સૈફ જેમણે પોતાના લગ્ન માટેની ખરીદી કરી લીધી છે, તેઓ કેમ આ લગ્ન અંગે મૌન છે, એ કળવું મુશ્કેલ છે. હવે કરીનાએ તો પોતાના ચુપ ચુપકે કરેલા લગ્નના સમાચાર વડે બધાને ચોંકાવી દીધા છે, પણ આમ છતાં તેના લગ્ન આ વર્ષના અંતે ચર્ચામાં રહેશે જ. આખરે બૉલીવુડન બેબો અને છોટે નવાબના લગ્ન છે.
હાલ તો કરીનાના લગ્નના ડ્રેસ અને સૈફના સૂટના સમાચાર તો સૌને ખબર જ છે. આગળ શું તૈયારીઓ ચાલી રહી છે, તે આગળ પણ અમે આપને જણાવતાં રહીશું.