'હું નથી ઈચ્છતી કે તૈમૂર અને જેહ ફિલ્મોમાં આવે', કરીના કપૂર ખાનનુ આવ્યુ મોટુ નિવેદન!
કરીના કપૂર ખાને હાલમાં જ પોતાના બાળકોના કરિયરને લઈને કંઈક એવુ કહ્યુ જે સમાચારોમાં છે. વાસ્તવમાં કરીના કપૂર ખાન નથી ઈચ્છતી કે તેનો દીકરો તૈમૂર અને જેહ ફિલ્મોમાં આવે અને એક્ટર બન્યા.
મુંબઈઃ સુપરસ્ટાર સૈફ અલી ખાન થોડા મહિનાઓ પહેલા ફરીથી પિતા બન્યા હતા અને કરીના કપૂર ખાને એક દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારબાદથી સતત તૈમૂરના ભાઈના આવવાની વાત ચાલી રહી હતી અને ઘણી વાર તેના નામ અને તેના નામને લઈને વિવાદ પણ થયો છે. સોશિયલ મીડિયા પર સમાચાર આવ્યા હતા કે તેનુ જહાંગીર છે. ત્યારબાદ કરીના કપૂર ખાનને ટ્રોલ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેણે ક્લિયર કરી દીધુ હતુ કે તેમના દીકરાનુ નામ જેહ છે.
હું ઈચ્છુ છુ કે મારા બંને દીકરા જેન્ટલમેન બને
જેહ અલી ખાનને લઈને હવે ફરીથી ચર્ચા છે. કરીના કપૂર ખાને હાલમાં જ પોતાના બાળકોના કરિયરને લઈને કંઈક એવુ કહ્યુ જે સમાચારોમાં છે. વાસ્તવમાં કરીના કપૂર ખાન નથી ઈચ્છતી કે તેનો દીકરો તૈમૂર અને જેહ ફિલ્મોમાં આવે અને એક્ટર બન્યા.કરીના કપૂર ખાને હિંદુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે.. હું ઈચ્છુ છુ કે મારા બંને દીકરા જેન્ટલમેન બને. હું એવુ ઈચ્છુ છુ કે તેમને જોઈને લોકો કહે કે...
આગળ શું બોલી બેબો?
કરીનાએ આગળ કહ્યુ, 'તેમનુ પાલનપોષણ ઘણુ સારુ થયુ છે અને તે દિલના ઘણા સારા છે. હું એવુ વિચારુ છુ કે મે આ સારી રીતે કર્યુ છે. હું તેમને એક ફિલ્મ સ્ટાર બનતા નથી જોવા માંગતી. મને ખુશી થશે જો તૈમૂર મારી પાસે આવે અને કહે કે હું કંઈક બીજુ બનવા માંગુ છુ. માઉન્ટ એવરેસ્ટ ચડે, એ તેની પસંદ છે. બસ હું તેમની સાથે છુ, મારા બાળકોને સપોર્ટ કરીશ.'
નિવેદન ઘણુ ચર્ચામાં છે
કરીના કપૂર ખાનનુ આનિવેદન ઘણુ ચર્ચામાં છે અને ત્યારબાદથી લોકો ટ્વિટર પર તેને ઘણા પ્રકારની વાતો કહી રહ્યા છે. લોકોનુ માનવુ છે કે કરીના કપૂર ખાન બરાબર વિચારે છે. આના કારણે તે ચર્ચામાં છે.
મીડિયાથી ખૂબ પ્રેમ મળ્યો છે
કરીનાના બંને બાળકોને મીડિયામાંથી ઘણો પ્રેમમળ્યો છે. તૈમૂરના ફોટા એ વખતે રોજ સામે આવતા અને લોકો તેને ખૂબ પસંદ કરતા હતા. હાલમાં જેહના ફોટા એક-એક કરીને સામે આવી રહ્યા છે. આનાથી એટલુ તો નક્કી છે કે તે મીડિયાને પસંદ છે.
વર્કફ્રંટ
વર્કફ્રંટ પર કરીના કપૂર ખાન હાલમાં આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચડ્ડા માટે બિઝી છે. પ્રેગ્નેન્સીના કારણે થોડા સમય સુધી તે ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી. જો કે હવે ખૂબ જલ્દી તે સેટ પર હશે.
લાલ સિંહ ચડ્ડા
કહેવામાં આવી રહ્યુ છે કે ટૂંક સમયમાં આમિર ખાનની લાલ સિંહ ચડ્ડાની રિલીઝ ડેટનુ એલાન થવાનુ છે. આ વર્ષના અંત સુધી ફિલ્મ રિલીઝ થઈ શકે છે. કરીના કપૂર ખાન આ ફિલ્મમાં ખૂબ શાનદાર રોલ કરી રહી છે.