For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરીનાના કરિયરને ઉની આંચ પણ નહિં આવે લગ્ન પછી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 19 સપ્ટેમ્બર : સમગ્ર દેશ આતુરતાપૂર્વક કરીના-સૈફ લગ્નની રાહ જોઈ રહ્યો છે. દરેક વ્યક્તિને સૈફ-કરીના ક્યારે ચોરીના ચાર ફેરા લે, તેનો ઇંતેજાર છે. આ લગ્ન અંગે તરેહ-તરેહની વાતો પણ કરવામાં આવી રહી છે.

Saif Ali Kareena Kapoor

હીરોઇન કરીના કપૂર અંગે કહેવામાં આવી રહ્યુ હતું કે સૈફ અલી ખાન સાથે લગ્ન બાદ કરીનાનું કરિયર બહુ ખરાબ રીતે બગડી જશે. તેથી કરીના લગ્ન નહોતી કરતી, પણ હવે સિતારાઓની માહિતી ધરાવતા પંડિતોનું કહેવું છે કે કરીના સિતારા બહુ પ્રબળ છે અને લગ્ન બાદ કરીનાના કરિયર ઉપર કોઈ અસર થશે નહિં. તેઓ એટલી જ ઝડપે આગળ વધશે, જેમ કે હાલ વધતાં રહ્યાં છે.

પંડિતોનું કહેવું છે કે 21મી સપ્ટેમ્બરે પોતાનો 32મો જન્મદિન ઉજવનારી કરીનાની કુંડળી કહે છે કે તેઓ અત્યારે પોતાના કરિયરના એવા મુકામે છે, જ્યાં પહોંચવું દરેકના વશની વાત નથી હોતી. તેમના બધા ગ્રહો તેમના પક્ષે છે. તેથી હાલ તેઓ જે કઈં પણ કરશે, બધુ તેમના માટે સારું રહેશે. આની અસર તેમના જીવન ઉપર કાયમ રહેશે.

આંગળાઓમાં નીલમ ધારણ કરનાર કરીનાની ફિલ્મ હીરોઇન પણ 21મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. પોતાના જન્મદિવસે ફિલ્મ રિલીઝ અંગે કરીના ઘણી ઉત્સાહિત છે. તેમને પૂર્ણ આશા છે કે ફિલ્મ હીરોઇન સફળતાના નવા શિખરો સર કરશે.

આપને જણાવી દઇએ કે પહેલાં સમાચાર એવા આવ્યા હતાં કે કોઇક જ્યોતિષે કરીનાને પત્ર મોકલ્યો હતો કે જો તેઓ સૈફ સાથે લગ્ન કરે, તો તેમનું કરિયર બર્બાદ થઈ જશે અને સૈફ સાથે તેમને લાંબુ નહિં ચાલી શકે. સાથે બહુ જલ્દી આ લગ્નમાં ભંગાણ પડી જશે. આ પત્રને પગલે કરીના ઘણા દબાણ હેઠલ હતાં, એવું માનવામાં આવી રહ્યુ હતું.

નોંધનીય છે કે કરીના-સૈફ 17મી ઑક્ટોબરે લગ્ન કરવાનાં છે.

English summary
Heroine Kareena Kapoor's marriage will not affect her career, says astrologer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X