લંડનમાં મનાવ્યો લોલોનો બર્થડે, તૈમુર લાઈમલાઈટમાં, જુઓ તસવીરો
હાલમાં જ કરિશ્મા કપૂર એટલે કે લોલોએ પોતાનો 44 મો બર્થડે મનાવ્યો છે. આ વખતે કરિશ્માએ પોતાનો જન્મદિવસ ફેમિલી સાથે લંડનમાં મનાવ્યો.
હાલમાં જ કરિશ્મા કપૂર એટલે કે લોલોએ પોતાનો 44 મો બર્થડે મનાવ્યો છે. આ વખતે કરિશ્માએ પોતાનો જન્મદિવસ ફેમિલી સાથે લંડનમાં મનાવ્યો. અહીં કરિશ્મા પોતાના બે બાળકો, સૈફ, કરીના કપૂર, બબિતા, સોનમ કપૂર અને તૈમુર સાથે જોવા મળી. જન્મદિવસની તસવીરોને કરિશ્મા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે પૂરા પરિવાર સાથે જોવા મળી રહી છે. વળી, કરિશ્માની આ તસવીરોમાં તૈમુરને તો તમે જોતા જ રહી જશો.

તૈમુરનુ ધ્યાન માત્ર કેક પર
આ તસવીરોમાં જ્યાં બધા લોકો પોઝ આપી રહ્યા છે ત્યાં તૈમુરનુ ધ્યાન માત્ર કેક પર જ છે. કરિશ્માએ પોતાના બર્થડે પર ખૂબ જ ક્યુટ બ્લેક રંગનો ડ્રેસ પહેર્યો છે. વળી, તે પોતાની ગર્લ ગેંગ સાથે મસ્તી કરતી પણ જોવા મળી રહી છે. કરિશ્માના આ ફોટાને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. વળી, તૈમુરનો આ ક્યુટ અંદાજ પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

44 વર્ષની થઈ કરિશ્મા
90s માં બોલિવુડ ક્વીન મનાતી અભિનેત્રી કરિશ્મા કપૂર લગભગ બધા ટોપ એક્ટર્સ સાથે ધમાકેદાર જોડી બનાવી ચૂકી હતી. અજય દેવગણની જીગરી દોસ્ત હતી પરંતુ સૌથી વધુ ફિલ્મો સલમાન સાથે કરી હતી. તેમાં પણ સૌથી વધારે હિટ જોડી ગોવિંદા સાથે રહી હતી. બોલિવુડની આ સુપરસ્ટાર એક્ટ્રેસ છે કરિશ્મા કપૂર. 17 વર્ષની ઉંમરમાં બોલિવુડમાં આવનારી આ એકટ્રેસ આજે 44 વર્ષની થઈ ગઈ છે.

પર્સનલ લાઈફ અંગે ચર્ચામાં રહી
કરિશ્મા જેટલી પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહી છે તેટલી જ તેની પર્સનલ લાઈફ માટે પણ રહી છે. તેણે કેરિયરના પીકમાં જ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. આ પહેલા અભિષેક બચ્ચન સાથે તેના લગ્ન અંગે જબરદસ્ત ચર્ચાઓ ચાલી હતી. બંને પરિવારો પણ રાજી હતા. એવુ કહેવામાં આવે છે કે કરિશ્મા અને અભિષેકની સગાઈ પણ થઈ ગઈ હતી પરંતુ પછી કોઈ કારણોસર આ સંબંધ તૂટી ગયો અને કરિશ્માની જિંદગીમાં સંજય આવી ગયો. લગ્નના થોડા વર્ષો બાદ સંજય સાથે તેના છૂટાછેડા થઈ ગયા છે.

-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
