Pics : રણબીર માટે કૅટરીના છે નીતૂની ચૉઇસ
મુંબઈ, 27 જૂન : ભલે હજી સુધી રણબીર કપૂર અને કૅટરીના કૈફ પોતાના સંબંધો અંગે કંઈ ખુલીને ન કહેતાં હોય, પણ લાગે છે કે રણબીરના માતા નીતૂ સિંહ કપૂરને કૅટરીના ગમે છે. તાજેતરમાં જ કૅટરીના કૈફ અને નીતૂ સિંહને લંડન ખાતેના એક રેસ્ટોરંટમાં સાથે ડિનર કરતાં જોવામાં આવ્યાં. આ પ્રસંગે નીતૂ કૅટરીના સાથે ખૂબ ખુશ દેખાતા હતાં.
કહે છે કે કૅટરીના કૈફ પોતાના પરિવાર સાથે થોડોક સમય પસાર કરવા લંડન ગયા હતાં કે જ્યાં રણબીર કપૂર અને તેમના માતા નીતૂ પણ હતાં. ત્રણેએ સાથે ડિનર કર્યું અને નીતૂએ કૅટરીના સાથે ખૂબ એંજૉય કર્યું. નીતૂએ જબ તક હૈ જાન ફિલ્મમાં કૅટરીનાના માતાનો રોલ કર્યો હતો. અગાઉ પણ સાંભળવા મળ્યુ હતું કે નીતૂ રણબીરના ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણેથી ખુશ નથી. તેથી જ રણબીર અને દીપિકા પાદુકોણે જુદા થઈ ગયા હતાં, પરંતુ કૅટરીના કૈફ સાથે નીતૂ સિંહની નિકટતા જોઈ લાગે છે કે તેમણે કૅટરીના માટે હા કરી દીધી છે.
આવો જોઇએ તસવીરો :

ડિનર
તાજેતરમાં જ કૅટરીના પોતાના બૉયફ્રેન્ડ રણબીર અને તેમના માતા નીતૂ સાથે લંડનના એક રેસ્ટોરંટમાં ડિનર કરતાં દેખાયાં.

કૅટ-ઋષિ
કહે છે કે કૅટ લંડનમાં પોતાના પરિવાર સાથે સમય ગાળવા ગયા હતાં, પરંતુ ત્યાં રણબીર અને નીતૂ પણ હતાં.

ઋષિ-નીતૂ-રણબીર
ડિનર દરમિયાન નીતૂ તથા કૅટ એક-બીજા સાથે બહુ ખુશ દેખાયાં.

જબ તક હૈ જાન
નીતૂએ જબ તક હૈ જાનમાં કૅટના માતાનો રોલ કર્યો હતો.

રણબીર-કૅટ
રણબીર-કૅટે પોતાના સંબંધો અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પણ સામાન્ય રીતે તેઓ સાથે દેખાય છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
