Pics : સજરૂર કાંતામાં ટાગોરની નંદિતા બનશે કોંકણા
મુંબઈ, 29 એપ્રિલ : બહુમુખી પ્રતિભાના માલિક અભિનેત્રી કોંકણા સેન શર્મા આજકાલ સજરૂર કાંતા ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ મહાન કવિ અને લેખક રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલી વાર્તાથી પ્રેરિત છે. સજરૂર કાંતા ફિલ્મ માટે કોંકણા સેન શર્મા બહુ ઉત્સાહિત પણ છે. ફિલ્મમાં કોંકણા સેન શર્મા દીપાની ભૂમિકા ભજવી રહ્યાં છે કે જે ટાગોરના જાણીતા નાટક રક્તરકાબીના વર્ણિત નંદિનીના પાત્રમાંથી લેવામાં આવ્યું છે.
ટાગોરની નંદિનાના પોતાના પાત્ર અંગે માહિતી આપતાં 34 વર્ષીય કોંકણાએ જણાવ્યું - આ મને નવી ઉંચાઇઓ આપે છે. આ અગાઉ કોંકણા ટાગોરના બહુવખણાયેલ નાટક સેશર કોબિતામાં કાદમ્બરીનું પાત્ર ભજવી ચુક્યાં છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે ડાયલૉગ ડિલીવરીમાં નંદિનીના પાત્રને ટાગોરનો સ્પર્શ કેવી રીતે આપ્યો? તો કોંકણાનો જવાબ હતો - મને થોડુક મુશ્કેલ લાગ્યું, પણ મંચ કલાકાર સોહાગ સેનની કાર્યશાળાએ બહુ મદદ કરી. મેં તો પંક્તિઓના ઉચ્ચારણની ઝીણવટ તથા શબ્દોને યાદ કરી લીધા હતાં કે જેથી પાત્રને બહેતર રીતે ભજવી શકું.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુમાં શું કહે છે કોંકણા સેન શર્મા :

મનમાં વસેલ પાત્ર ભજવવું મુશ્કેલ
કોંકણા સેન કહે છે - મારે રક્તરકાબીની નંદિની બિલ્કુવ એવી જ બનવી હતી કે જેવી લોકોના મનમાં તેના પ્રત્યે ધારણા છે, જ્યારે લાવણ્યા પણ સેશર કોબિતાનું બહુ જાણીતુ ચરિત્ર હતું. તેથી બહુ મુશ્કેલ હોય છે તેવીભમિકા ભજવવી કે જેવી લોકોના મનમાં વસેલી છે.

મારૂં કામ સમજણ પર આધારિત
કોંકણાએ જણાવ્યું - મારૂં કામ મારી સમજણ તથા કરવામાં આવેલી તૈયારી પર આધારિત છે.

માતાએ મદદ કરી
કોંકણા કહે છે - મારા માતા અપર્ણા સેને પણ નંદિનીના પાત્રને સમજવામાં મારી બહુ મદદ કરી.

દીપાનું પાત્ર મહત્વનું
ફિલ્મના દિગ્દર્શક સાયબલ મિત્રાનું કહેવું છે - સજરૂર કાંતામાં કોંકણા દ્વારા ભજવાયેલ દીપાનું પાત્ર બહુ મહત્વનું છે.

ક્રાઇમ થ્રિલર ફિલ્મ
સજરૂર કાંતા ફિલ્મ પ્રણય-ત્રિકોણ સાથે ચાલતી એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
