આ ચાર કારણો અપાવી શકે લાઇફ ઑફ પાઇને ઑસ્કાર
મુંબઈ, 11 જાન્યુઆરી : આજે ભારતીય માટે ખુશ થવાનો દિવસ છે. કારણ છે ફિલ્મ લાઇફ ઑફ પાઇનું ઑસ્કાર માટે નૉમિનેટ થવું. ફિલ્મમાં ખાસ રોલ તબ્બુ અને ઇરફાન ખાને ભજવ્યો છે. તેથી આ ફિલ્મ ભારતીયો માટે વધુ ખાસ છે. સમાચાર છે કે ઍંગ લી દિગ્દર્શિત લાઇફ ઑફ પાઇનું નૉમિનેશન 11 શ્રેણીઓમાં કરાયું છે. તેથી લાગે છે કે લાઇફ ઑફ પાઇ ઑસ્કાર ઍવૉર્ડ જીતી જશે.
આવો આપને બતાવીએ કે ફિલ્મ લાઇફ ઑફ પાઇ કયા કારણોસર ઑસ્કાર પુરસ્કાર મેળવી શકે છે.
1. પ્રથમ કારણ તો એ છે કે ફિલ્મ ઍંગ લી જેવા દિગ્દર્શકે બનાવી છે કે જેઓ અગાઉ પણ ઑસ્કાર ઍવૉર્ડ જીતી ચુક્યાં છે. તેમનો જૂનો ઇતિહાસ પણ જ્યુરીને નિર્ણય કરવામાં સહાયક નિવડી શકે છે.
2. અવતાર ફિલ્મની જેમ લાઇફ ઑફ પાઇમાં એનિમેશનની કમાલ છે કે જેથી આ ફિલ્મે કરોડોની કમાણી કરી.
3. ફિલ્મની વાર્તા ખૂબ અલાયદી છે કે જે લોકોને ગમી છે. તેથી જ આ ફિલ્મ ઍવૉર્ડની રેંકમાં આવી શકી છે.
4. ફિલ્મનું કામ હોય છે મનોરંજન સાથે સંદેશ આપવું. આ ફિલ્મ પણ એવી જ છે કે જે સૂરજ નામના એક છોકરાના જીવનની સુંદર વાર્તા છે. આ વાર્તા આ ફિલ્મને ઍવૉર્ડ અપાવવામાં મદદ કરી શકે છે.