Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મલાઈકા અરોરાના પિતા ડિપ્રેશનમાં હતા? પડોશીઓએ જણાવી નજરે જોયેલી ઘટના, ખુલ્યો આ મોટો રાઝ

Malaika Arora Father Death: બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સિંગ ક્વીન મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાના નિધનના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ છે. મલાઈકા અરોરા અને તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

અહેવાલ છે કે મલાઈકાના પિતા અનિલ અરોરાનું 11 સપ્ટેમ્બર 2024 (બુધવાર)ના રોજ મુંબઈના બાંદ્રામાં તેમના ઘરની બાલ્કનીમાંથી પડી જવાથી મૃત્યુ થયું હતું. આ અનહોની આત્મહત્યા છે કે અકસ્માત તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મલાઈકા અરોરા અને તેની બહેન અમૃતા અરોરા તેમના પિતાના અવસાનથી ખૂબ જ આઘાતમાં છે.

Malaika Arora father

દુઃખની આ ઘડીમાં મલાઈકા અરોરાનો બૉયફ્રેન્ડ અર્જુન કપૂર અને પૂર્વ પતિ અરબાઝ ખાન તેની સાથે ઉભેલા જોવા મળ્યા છે. જો કે અનિલ અરોરાના નિધન બાદ લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અનિલ અરોરાએ ડિપ્રેશનના કારણે આ પગલું ભર્યું છે.

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ લાંબા સમયથી બીમાર હતા. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાના મૃત્યુને લઈને પડોશીઓ તરફથી અલગ-અલગ નિવેદનો સામે આવ્યા છે. પોલીસ પૂછપરછ દરમિયાન કેટલાક પડોશીઓએ જણાવ્યું કે અભિનેત્રીના પિતા બીમાર છે. ગયા વર્ષે 2023માં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મલાઈકા અરોરા પણ તેના બીમાર પિતાને મળવા હોસ્પિટલ પહોંચી હતી. જો કે તેમની બીમારી અંગે કોઈ અપડેટ સામે આવ્યું નથી. કેટલાક લોકોએ એમ પણ જણાવ્યું કે તેઓ ડિપ્રેશનમાં હતા. જો કે, આ તમામ બાબતોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

બીજી તરફ પોલીસ પૂછપરછ દરમિયાન કેટલાક પડોશીઓએ અનિલ અરોરા બીમાર હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક પાડોશીએ કહ્યું છે કે અનિલ અરોરા કોઈપણ રીતે બીમાર નથી. તેઓ ખૂબ જ સક્રિય હતા અને સોસાયટીના કામમાં રસ લેતા. ત્રણ દિવસ પહેલા જ તેમની સાથે મેસેજ દ્વારા વાતચીત થઈ હતી.

સોસાયટીના ચોકીદારે જણાવ્યું કે અનિલ અરોરા સંપૂર્ણ સ્વસ્થ હતા અને બહાર આવતા-જતા રહેતા હતા. હાલ પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરાની માતા જૉયસ પોલીકાર્પે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે તે અને અનિલ અરોરા છૂટાછેડા પછી પણ થોડા વર્ષોથી સાથે રહેતા હતા. તેણે જણાવ્યું કે અનિલને દરરોજ સવારે બાલ્કનીમાં બેસીને અખબાર વાંચવાની આદત હતી.

જ્યારે અનિલ અરોરા 11 સપ્ટેમ્બર 2024 (બુધવાર)ના રોજ બાલ્કનીમાં દેખાયા ન હતા, ત્યારે જૉયસ તેના વિશે ચિંતિત થઈ ગયા હતા. તેમના ચપ્પલ ઘરમાં હતા. આનાથી પરેશાન થઈને જૉયસે બાલ્કનીમાંથી નીચે જોયું તો ભારે હંગામો મચી ગયો હતો. ચોકીદાર મદદ માટે બોલાવતો હતો.

મલાઈકા અરોરાની માતાએ વધુમાં જણાવ્યું કે જ્યારે તે બાલ્કનીમાં આવી ત્યારે ચોકીદાર મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. જૉયસ પોલીકાર્પે પોલીસને જણાવ્યું છે કે અનિલ મહેતા સંપૂર્ણ સ્વસ્થ હતા. તેમને ઘૂંટણના દુઃખાવાની થોડી સમસ્યા હતી, આ સિવાય બીજી કોઈ મોટી વાત નહોતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X