બે વર્ષ બાદ મલાઇકાએ કહ્યું,અરબાજથી છૂટાછેડા બાદ તેના પુત્રએ કેવું કર્યું હતું રિએક્ટ
બે વર્ષ બાદ મલાઇકાએ કહ્યું, છુટાછેડા બાદ પુત્રએ શું કહ્યું
મુંબઇ: બોલીવુડની ફેમસ અભિનેત્રી મલાઇકા અરોરા ખાને તેના પતિ અરબાજ ખાનને છૂટાછેડા આપ્યા તેના બે વર્ષ થઇ ગયા છે. બન્નેએ વર્ષ 2017માં પોતાના 18 વર્ષનું લગ્નજીવન તોડી નાખ્યું. જયારે અરબાજને જિયોર્જિયા એંડ્રિયાનીમાં તેનો નવો પ્રેમ મળ્યો તો હવે મલાઇકા પણ તેના અને અર્જુન કપુરના સંબંધને લઇને સામે આવી. ઉલ્લેખનીય છે કે પહેલાં છુટાછેડાને લઇને બન્નેએ કાંઇ ખાસ નહોતું કહયું પરંતુ થોડા સમય પહેલા કરીના કપુરના રેડીયો પ્રોગ્રામમા મલાઇકાએ આ મુદા પર વાત કરતાં જણાવ્યું કે તેમના અને અરબાજના છૂટાછેડાની વાત સાંભડીને તેના પુત્ર અરહાન ખાનનું રીએકશન શું હતું?

પુત્રને આપવા માંગતી હતી ખુશાલ વાતાવરણ
મલાઇકાએ કહયું કે હું મારા પુત્રને ખુશાલ વાતાવરણ આપવા માંગતી હતી નહીં કે કોઇ તણાવ પુર્ણ વાતાવરણમાં.સમયની સાથે મારા પુત્રએ તેને સમયની સાથે સારી રીતે સ્વીકારી લીધું અને તે ખુશ છે.વધારે મલાઇકાએ કહયું કે તે અમને બન્નેને અલગ-અલગ ખુશ રહેતા જુએ છે જ્યારે અમે લગ્ન જીવનમાં જરાપણ ખુશ ન હતા.
છુટાછેડા બાદ એક દિવસ પુત્રએ કહયું આવું
મલાઇકાએ કહ્યું કે થોડા દિવસોમાં અરહાને મારા અને અરબાજનું અલગ થવાનું સ્વિકારી લીધું અને થોડા દિવસો બાદ તેમણે ખુદ કહયું કે માં તમને ખુશ અને હસ્તા જોઇને સારું લાગે છે.ઊલ્લેખનીય છે કે મલાઇકાને છુટાછેડા બાદ અરહાનની કસ્ટડી મળી છે અને તે તેની સાથે જ રહે છે.

એક બીજાની સાથે ના ખુશ હતા હું અને અરબાજ
મલાઇકાએ આ શો માં ખુલ્લીને વાત કરતાં જણાવ્યું કે અમે વસ્તુઓ વિશે બહુ વિચાર્યું અને તેના ફાયદા વિશે પણ વિચાર કર્યા બાદ ફેંસલો કર્યો કે અમે બન્ને અમારા રસ્તા અલગ કરી લેશું તો વધારે સારું રહેશે કારણકે અમે બે લોકો છીંએ અને સ્થિતીઓ અમને એકબીજા સાથે નાખુશ કરી રહી હતી જે અમારા આજુ-બાજુના લોકોની જીંદગી પર પ્રભાવ પાડી રહી હતી.












Click it and Unblock the Notifications
