ઝાંસીની રાણી મારી કાકી છે શું? મણિકર્ણિકા અંગે બોલિવુડ પર ભડકી કંગના રનોત
બોલિવુડથી નારાજગી વ્યક્ત કરતા કંગના રનોતે કહ્યુ કે ઝાંસીની રાણી મારી કાકી છે શું? જેનાથી આ બધા આટલા ડરેલા છે?
અભિનેત્રી કંગના રનોતની ફિલ્મ મણિકર્ણિકા જે દિવસથી રિલીઝ થઈ છે તે દિવસથી તેમની ફિલ્મ માટે કોઈને કોઈ પ્રકારનો વિવાદ સામે આવતો રહે છે. ઘણા લોકોએ તેનાથી નારાજગી દર્શાવી છે. હાલમાં જ પોતાની ફિલ્મના પ્રમોશન માટે બોલિવુડથી નારાજગી વ્યક્ત કરતા કંગના રનોતે કહ્યુ કે ઝાંસીની રાણી મારી કાકી છે શું? જેનાથી આ બધા આટલા ડરેલા છે? ઝાંસીની રાણી જેટલી મારી છે એટલી જ આ લોકોની પણ છે.
શું ઝાંસીની રાણી મારી કાકી છે?
તેમણે કહ્યુ કે આ લોકો શું મારી ફિલ્મ પ્રમોટ કરશે. તેનાથી મને શું ફાયદો થશે... હું પહેલેથી જ 31 વર્ષની ઉંમરમાં જ 4 નેશનલ એવોર્ડ જીતી ચૂકી છુ, ત્યારબાદ હવે હું ફિલ્મમેકર પણ બની ગઈ છુ... પરંતુ સવાલ એ છે કે શું ઝાંસીની રાણી મારી કાકી છે? કંગના રનોત એ અભિનેત્રીઓમાંથી છે કે જે પોતાની વાત કહેવામાં જરા પણ ખચકાતી નથી અને ઘણી બહાદૂરીથી ઈન્ડસ્ટ્રીમાં દરેક સવાલનો જવાબ આપે છે. ચાલો તમને જણાવીએ મણિકર્ણિકા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો અને વિવાદ...
નિર્દેશક સાથે વિવાદ
ફિલ્મના નિર્દેશનનો દાવો કરી રહેલા ક્રિશ સાથે તેમનો ઘણો મોટો વિવાદ છે. કંગના પર તેમણે તેમની ક્રેડિટ છીનવી લેવાનો આરોપ લગાવ્યો છે.
મિષ્ટી ચક્રવર્તીનો આરોપ
કંગના પર ફિલ્મ અભિનેત્રી મિષ્ટી ચક્રવર્તીએ આરોપ લગાવ્યો હતો કે તેમના મુખ્ય સીન ફિલ્મમાંથી કાપી નાખવામાં આવ્યા છે.
સોનુ સૂદ બહાર
ફિલ્મની વચ્ચેથી સોનુ સૂદે ફિલ્મમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો. આનુ કારણ પણ કંગનાને જ માનવામાં આવે છે.
શ્રેષ્ઠ ફિલ્મ
લોકોને ફિલ્મ ઘણી વધુ પસંદ આવી છે. ધીમી ધીમી પણ ફિલ્મ ચાલી રહી છે.
કંગનાનો અભિનય
ફિલ્મમાં કંગના રનોતનો અભિનય ઘણો શાનદાર છે.
આ પણ વાંચોઃ સિનેમેટોગ્રાફી એક્ટ 1952માં ફેરફારને મંજૂરી, હવે થિયેટરમાં ભૂલથી પણ ના કરતા આ કામ