For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણીતા અભિનેત્રી આશાલતા વાબગાંવકરનુ કોરોનાના કારણે નિધન

દિગ્ગજ મરાઠી અભિનેત્રી આશાલતા વાબગાંવકરનુ 83 વર્ષની વયે નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દિગ્ગજ મરાઠી અભિનેત્રી આશાલતા વાબગાંવકરનુ 83 વર્ષની વયે નિધન થઈ ગયુ. આશાલતા વાબગાંવકર કોરોના વાયરસ(કોવિડ-19)થી સંક્રમિત હતા. આશાલતા વાબગાંવકરનુ નિધન મંગળવારે સવારે પોણા પાંચ વાગ્યા આસપાસ થયુ. કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ આશાલતાને સતારાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમનુ નિધન થઈ ગયુ.

ashalata

સીરિયલના શૂટિંગ દરમિયાન મળી આવ્યા કોવિડ-19થી સંક્રમિત

આશાલતા વાબગાંવકરના પરિવારે અધિકૃત નિવેદનમાં જણાવ્યુ છે કે આશાલતા વાબગાંવકર સતારા હોસ્પિટલમાં પોતાની મરાઠી સીરિયલ 'આઈ કલુબાઈ'નુ શૂટિંગ કરવા પહોંચ્યા હતા. જ્યાં નિયમ મુજબ તેમની કોરોના તપાસ કરવામાં આવી. જેમાં તે વાયરસથી સંક્રમિત મળી આવ્યા. આશાલતા વાબગાંવકરના અંતિમ સંસ્કાર સતારામાં જ કરવામાં આવશે.

100થી વધુ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

આશાલતા વાબગાંવકરે હિંદી અને મરાઠી બંને ફિલ્મોમાં કામ કર્યુ હતુ. આશાલતા વાબગાંવકરે 100થી વધુ ફિલ્મો કરી હતી. આશાલતા વાબગાંવકરે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'જંજીર'માં પણ કામ કર્યુ હતુ જેમાં તેમણે અમિતાભની સાવકી માની ભૂમિકા નિભાવી હતી. 2 જુલાઈ, 1941ના રોજ જન્મેલા આશાલતાએ અભિનય કરવા ઉપરાંત ઘણી મરાઠી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે.

રાજ્યસભામાં હોબાળાથી દુઃખી ઉપસભાપતિ હરિવંશ રાખશે એક દિવસનો ઉપવાસ, PM મોદીએ કર્યુ આ ટ્વિટરાજ્યસભામાં હોબાળાથી દુઃખી ઉપસભાપતિ હરિવંશ રાખશે એક દિવસનો ઉપવાસ, PM મોદીએ કર્યુ આ ટ્વિટ

English summary
Marathi actress Ashalata Wabgaokar passes away due to COVID-19.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X