ન્યૂડ ફોટો પોસ્ટ કરવાને મિલિંદ સોમને ગણાવી ભારતીય સંસ્કૃતિ, કહ્યુ - અમેરિકામાં આવુ કરવુ ગેરકાયદે
મિલિંદ સોમને પોતાના ન્યૂડ ફોટા પર સફાઈ આપીને કહ્યુ છે કે તેમણે કંઈ ખોટુ નથી કર્યુ.
બૉલિવુડ અભિનેતા અને લોકપ્રિય મૉડલ મિલિંદ સોમન થોડા સમય પહેલા પોતાના ન્યૂડ ફોટા પોસ્ટ કરવાના કારણે બહુ મોટા વિવાદનો હિસ્સો બની ગયા હતા. સોશિયલ મીડિયા પર પોતાના ફોટા માટે તે બહુ ખરાબ રીતે ટ્રોલ પણ થયા. આના પર મિલિંદ સોમને સફાઈ આપીને કહ્યુ છે કે તેમણે કંઈ ખોટુ નથી કર્યુ. મિલિંદ સોમને પોતાના ન્યૂડ ફોટા પર ભારતીય કલ્ચરની વાત રાખી છે અને કહ્યુ કે આ સમાજના બહુ મોટા હિસ્સા માટે વેકઅપ કૉલ છે. ખાસ કરીને તેમના માટે જે નથી જાણતા કે ઈન્ટરનેટ કઈ રીતે કામ કરે છે.

આ કોઈ સંસ્કૃતિનુ અપમાન નથી
મિલિંદે એ પણ જણાવ્યુ કે તેમનો જે ફોટો વાયરલ થયો હતો તેને તેમની પત્ની અંકિતા કંવરે કેમેરામાં કેદ કર્યો હતો. મિલિંદે એ પણ કહ્યુ કે આ ભારતીય સંસ્કૃતિનુ પ્રતિનિધિત્વ કરે છે. મિલિંદ સોમને કહ્યુ કે આ કોઈ સંસ્કૃતિનુ અપમાન નથી. તમને જણાવી દઈએ કે મિલિંદે પોતાનો ન્યૂડ ફોટો 55માં બર્થડે પર શેર કર્યો હતો.

ભારતીય સંસ્કૃતિ ઘણી વિશાળઃ મિલિંદ
એક વેબસાઈટ સાથે વાત કરતા મિલિંદ સોમને કહ્યુ કે ભારતીય સંસ્કૃતિ ઘણી વિશાળ છે. વિવિધતાથી પૂર્ણ છે. મે ઘણી યાત્રાઓ કરી છે વિવિધ રાજ્યોમાં. હું લોકો વચ્ચે રહ્યો છુ. તેમણે આગળ કહ્યુ કે તમે એ નથી જાણતા કે ભારતની સંસ્કૃતિ શું છે? લોકો એમ સમજે છે કે મારુ જે ઘર પરિવાર છે તે જ સારા કલ્ચરને માને છે. બીજા લોકો અમેરિકી કલ્ચર કરે છે. અમેરિકામાં ન્યૂડ થવુ ગેરકાયદે છે. ભારતના તમામ હિસ્સામાં આવુ નથી. હું માનુ છુ કે આ ભારતનુ કલ્ચર છે. મને લાગે છે કે આ ભારતીય સંસ્કૃતિ છે.

ઈન્સ્ટાગ્રામને પણ કોઈ સમસ્યા નહોતી
મિલિંદે આગળ કહ્યુ કે મે મારા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. જો ઈન્સ્ટાગ્રામને કોઈ વાંધો હોય તો તે પોસ્ટ હટાવી શકે છે. ઈન્સ્ટાગ્રામના પણ પોતાના નિયમ છે. મિલિંદે પોતાની વાત સમજાવતા કહ્યુ કે મારા માટે સમાજનો અર્થ છે કે દરેકનુ પોતાનુ મંતવ્ય છે પરંતુ કોઈનુ પણ મંતવ્ય એવુ ન હોવુ જોઈએ જે કોઈ બીજાને પ્રભાવિત કરે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
