'સનમ બેવફા' જેવી ફિલ્મોમાં હિટ મ્યૂઝિક આપનાર સંગીતકાર અને પ્યારેલાલના ભાઈ મહેશ શર્માનુ નિધન
'સનમ બેવફા' જેવી ફિલ્મોમાં હિટ મ્યૂઝિક આપનાર સંગીતકાર મહેશ રામપ્રસાદ શર્માનુ 6 ઓગસ્ટના રોજ લાંબી બિમારી બાદ નિધન થઈ ગયુ. તેઓ બૉલિવુડની દિગ્ગજ સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલમાંથી પ્યારેલાલના ભાઈ હતા.

દિવંગત સંગીતકાર મહેશ રામપ્રસાદ શર્માના ફેમિલી ફ્રેન્ડ રિડ્ઝ ડાઈમે Asianetnews હિન્દીને જણાવ્યુ કે તેમનુ નિધન 6 ઓગસ્ટના રોજ સાંજે થયુ. રિડ્ઝે જણાવ્યુ કે મહેશજીમને દીકરી માનતા હતા.. તેમના પુત્ર ગુરુ શર્માએ મને ફોન કરીને જાણ કરી હતી. મારો તેમની સાથે ગાઢ સંબંધ હતો.
તેણે ઉમેર્યુ કે જાણે મે 17 ફેબ્રુઆરી, 2023એ THE RDD SHOW-કોશિશ કરનેવાલો કી કભી હાર નહિ હોતી- નું આયોજન કર્યુ હતુ ત્યારે તેમનું પણ સન્માન કર્યુ હતું. જોકે, ત્યારે તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી, તેથી તેમણે મને ઘરે બોલાવીને આ સન્માન લીધુ હતુ.
મહેશ શર્માને પાંચ-છ ભાઈઓ હતા. પ્યારેલાલ જી, નરેશ શર્મા, આનંદ શર્મા, ગણેન શર્મા અને ગોરખ શર્મા. તેમના પિતાનું નામ પંડિત રામપ્રસાદ શર્મા હતું. મહેશ શર્મા મ્યુઝિક કંપોઝરની સાથે એક સારા વાયોલિન વાદક પણ હતા. કિશોર સાથે મળીને આપેલું સંગીત 'સનમ બેવફા' ઘણું હિટ રહ્યું હતું. તેનું ગીત ચૂડી મઝા ના દેગી, કંગન માઝા ના દેગા... આજે પણ સાંભળવામાં આવે છે.
મહેશ શર્માની અંતિમ યાત્રા 7 ઓગસ્ટના રોજ તેમના નિવાસસ્થાન B-903, ન્યૂ મ્હાડા કોમ્પ્લેક્સ, અંધેરી વેસ્ટ 53, રાજયોગ સોસાયટી, લોખંડવાલાથી ઓશિવારા સ્મશાનભૂમિ માટે નીકળી હતી. મહેશ શર્માને બે પુત્રો મનુ શર્મા અને ગુરુ શર્મા અને એક પુત્રી મેઘના કાલરા છે. તેમના બંને પુત્રો પણ જાણીતા સંગીતકાર છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
