મારા પપ્પા મારી તાકત અને પ્રેરણા : માધુરી દીક્ષિત
મુંબઈ, 14 સપ્ટેમ્બર : બૉલીવુડના સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિતના પિતાનું શુક્રવારે નિધન થઈ ગયું. દરેક પિતા પોતાના પુત્રીનો આદર્શ હોય છે. દરેક યુવતી પોતાના પિતામાં પોતાના પતનો ચહેરો શોધવાનો પ્રયત્ન કરે છે, કારણ કે પિતા જ પોતાની પુત્રીને સલામતી અને પ્રેમ આપી શકે છે, તે પણ વગર સ્વાર્થે. તેથી મારા પપ્પા પણ મારી તાકત અને પ્રેરણા છે.

આમ કહેવું છે અભિનેત્રી માધુરી દીક્ષિતનુ. તેમણે આ વાત એક વાર ઝલક દિખલા જા 4 રિયલિટી શોના મંચ ઉપરથી કહી હતી કે જ્યારે સ્પર્ધકોને ફૅમિલી થીમ આપવામાં આવી હતી. ખેર, આજે માધુરીની શક્તિ તેમનાથી ઘણી દૂર જતી રહી છે, પણ તેઓ હંમેશા તેમની સાથે તેમના દરેક પગલે તેમની સાથે હશે. એમ જ કહે છે માધુરીના ફૅન્સ કે જેઓ માધુરી માટે પોતાની સંવેદનાઓ ટ્વિટર ઉપર વ્યક્ત કરી રહ્યાં છે.
નોંધનીય છે કે માધુરીના પિતા શંકર દીક્ષિતનું ગઈકાલે સવારે મુંબઈમાં જુહૂ આવાસ ઉપર તેમનું નિધન થઈ ગયું. માધુરીએ એક નિવેદનમાં જણાવ્યું - અમે તેમની ઉણપ અનુભવશું, પરંતુ અમે જાણીએ છીએ કે તેમણે પોતાનું જીવન સમ્પૂર્ણપણે જીવ્યું. અમે તે તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ કે જેમણે આવા સમયે અમને પોતાની સાંત્વનાઓ મોકલી અને પ્રાર્થનાઓ કરી.












Click it and Unblock the Notifications
