નેશનલ અવૉર્ડ વિનર ફિલ્મ 'પરિણીતા'ના ડાયરેક્ટર પ્રદીપ સરકારનુ નિધન, ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

Pradeep Sarkar Passes Away: બૉલિવુડના ફેમસ ફિલ્મમેકર અને નેશનલ અવૉર્ડ વિનર પ્રદીપ સરકારનુ નિધન થઈ ગયુ છે. આજે એટલે કે 24 માર્ચના રોજ સવારે 3.30 વાગે 68 વર્ષની ઉંમરે પ્રદીપ સરકારનુ મોત થઈ ગયુ. મીડિયા રિપોર્ટ મુજબ તેઓ ડાયાલિસીસ પર હતા અને તેમનુ પોટેશિયમ લેવલ ઘણુ નીચે આવી ગયુ હતુ. હૉસ્પિટલમાં ઈલાજ દરમિયાન જ તેમનુ નિધન થઈ ગયુ. પ્રદીપ સરકારે પરિણીતા, લાગા ચુનરી મે દાગ, મર્દાની અને હેલીકૉપ્ટર ઈલા જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે.
|
પ્રદીપ સરકારના નિધન પર સેલેબ્સે વ્યક્ત કર્યો શોક
પ્રદીપ સરકાર અને તેમની બહેન માધુરીની ખૂબ જ નજીક રહેલી અભિનેત્રી નીતુ ચંદ્રાએ ટ્વિટર પર તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. નીતુ ચંદ્રાએ ટ્વીટ કરીને લખ્યુ છે - આપણા સૌથી પ્રિય નિર્દેશક પ્રદીપ સરકાર દાદા વિશે જાણીને ખૂબ જ દુઃખ થયુ. મે મારી કારકિર્દી તેમની સાથે શરૂ કરી. તેમની ફિલ્મોને લાર્જર ધેન લાઈફ બતાવવા માટે તેમની પાસે સૌંદર્યલક્ષી પ્રતિભા હતી.#Parineeta #lagachunrimeindaagથી લઈને અનેક ફિલ્મો સુધી. દાદા, તમને યાદ કરવામાં આવશે. આરઆઈપી.
|
અજય દેવગણે આપી પ્રદીપ સરકારને શ્રદ્ધાંજલિ
અજય દેવગને પણ ટ્વિટર પર તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને લખ્યુ - પ્રદીપ સરકાર, 'દાદાના નિધનના સમાચાર હજુ પણ આપણામાંથી કેટલાક માટે પચાવવા મુશ્કેલ છે. મારી ઊંડી સંવેદના. મારી પ્રાર્થના તેના પરિવાર સાથે છે. RIP દાદા. બૉલિવુડ અભિનેતા મનોજ બાજપેયી અને હંસલ મહેતાએ પણ દિવંગત ફિલ્મ નિર્માતા પ્રદીપ સરકારને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે.
|
પ્રદીપ સરકારની ફિલ્મને મળ્યો હતો નેશનલ અવૉર્ડ
પ્રદીપ સરકારે દિગ્દર્શક અને નિર્માતા વિધુ વિનોદ ચોપરાની પ્રોડક્શન કંપની વિનોદ ચોપરા પ્રોડક્શનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ક્રિએટિવ ડિરેક્ટર-આર્ટ તરીકે એડ એજન્સીમાં 17 વર્ષ સુધી કામ કર્યા પછી તેમણે એડ-ફિલ્મ નિર્માતા તરીકે તેમની દિગ્દર્શન યાત્રા શરૂ કરી. કમર્શિયલ ઉપરાંત પ્રદીપ સરકારે વધુમાં વધુ મ્યુઝિક વીડિયોઝનુ નિર્દેશન પણ કર્યુ છે. તેમની ફિલ્મ 'પરિણીતા'ને નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
