Javed Akhtar: નવી પેઢીના એક્ટર્સ પર જાવેદ અખ્તરનો કટાક્ષ, કહ્યુ - હિંદી ડાયલૉગ વાંચી પણ નથી શકતા
Javed Akhtar: પ્રખ્યાત ગીતકાર અને લેખક જાવેદ અખ્તર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે રણબીર કપૂરની ફિલ્મને ખતરનાક ગણાવી હતી. એટલું જ નહીં તેમણે હવે નવી પેઢીના કલાકારો પર નિશાન સાધ્યું છે.
જાવેદ અખ્તર દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તાજેતરમાં તેમણે નવી પેઢીના કલાકારો પર કટાક્ષ કર્યો અને કહ્યું કે આજે ફિલ્મ ઉદ્યોગમાં આપણે મોટાભાગે નવા કલાકારો માટે રોમનમાં સંવાદો લખીએ છીએ કારણ કે તેઓ હિન્દી ભાષામાં વાંચી શકતા નથી. તેથી તેમના માટે અંગ્રેજીમાં સ્ક્રીપ્ટ લખવી પડે છે.

ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમ 'હિન્દી અને ઉર્દૂઃ સિયામી ટ્વિન્સ'માં ભાષા પર વાત કરતી વખતે, જાવેદ અખ્તરે ઉર્દૂ ભાષા વિશે વાત કરતા કહ્યું, '200 વર્ષથી સત્તાવાળાઓ માનતા હતા કે હિન્દી અને ઉર્દૂ અલગ છે. પરંતુ આ હોવા છતાં તે હંમેશા એક હતા. તત્કાલીન પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓએ કહ્યું કે તેઓ મરી જશે પણ ઉર્દૂનો અભ્યાસ નહીં કરે. પણ શું આ 10 કરોડ લોકો ઉર્દૂ બોલતા હતા?
હિન્દી સંસ્કૃતિ પર વાત કરતા જાવેદ અખ્તરે કહ્યું કે, હું હિન્દુસ્તાનીઓ (ભારતીયો) માટે હિન્દુસ્તાની લખું છું. હું ઉર્દૂ અને હિન્દી લોકો માટે નથી લખતો. જો એક ભારતીય હોવાને કારણે જે દિવસે તમારી હિન્દી ભાષા જાણવા અને વાંચવાની રુચિ વધશે, તે દિવસે તમારી ભાષા સારી બની જશે. એકંદરે, હિન્દી વિના ઉર્દૂ અધૂરી છે. હિન્દી શબ્દોમાંથી ઉર્દૂ ભાષાની રચના થઈ છે.
જાવેદ અખ્તરે ઉર્દૂ અને હિન્દી ભાષા વિશે વાત કરતાં કહ્યું કે ભાષા ગમે તે હોય, તેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. આજે આપણા યુવાનોએ આ શબ્દોનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ જાવેદ અખ્તર બૉલિવુડ ઈન્ડસ્ટ્રી પર ઘણી વખત આકરા પ્રહારો કરી ચૂક્યા છે.
-
Border 2 X Review: થિયેટરોમાં ગુંજ્યા દેશભક્તિના નારા, કેવો રહ્યો 'બોર્ડર 2'નો માહોલ? -
ગણતંત્ર દિવસ પૂર્વે અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ એક્શનમાં -
Char Dham Yatra 2026: બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલે સવારે 6:15 કલાકે ખુલશે -
Gujarat Weather: રાજ્યમાં બેવડી ઋતુની અસર, વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી, જાણો હાલનું તાપમાન -
Gujarat Weather: રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠાનું અનુમાન, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી -
Surat : સુરતથી વિમાન સેવાઓ બંધ થતા મુસાફરો પરેશાન, વેપારીઓમાં રોષનો માહોલ -
RCBની હવે અનુષ્કા શર્મા બનશે માલકિન? 400 કરોડમાં થશે ડીલ! ચાહકોમાં મચી ખલબલી -
IND vs NZ 2nd T20: રાયપુરમાં આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે જંગ, જાણો પિચ-હવામાનની સ્થિતિ -
Gujarat Weather: રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, હવામાન વિભાગે વરસાદ સાથે ઠંડીની કરી આગાહી -
અમદાવાદમાં નકલી પાસપોર્ટ સાથે કેન્યાની મહિલા ઝડપાઈ -
Western Railway: પશ્ચિમ રેલવે દોડાવશે 3 જોડી સ્પેશિયલ ટ્રેનો, બાંદ્રાથી ભુજ અને વેરાવળ જવું થશે સરળ -
ક્રિકેટ જગતમાં આવ્યું અભિષેક શર્માનું તોફાન, હવે બન્યો દુનિયામાં નંબર 1










Click it and Unblock the Notifications
