ઑસ્કર સમારંભમાં દિગ્ગજોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ, લતા મંગેશકર-દિલીપ કુમારને નજરઅંદાજ કરવાથી ભડક્યા લોકો
ઑસ્કર અવૉર્ડ સેરેમનીએ લતા મંગેશકર-દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ ન આપવાને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ ઑસ્કરના આયોજકો પર નિશાન સાધ્યુ.
નવી દિલ્લીઃ દુનિયાભરના દિગ્ગજ ફિલ્મ કલાકાર અને ફિલ્મ નિર્માતા જેમનુ ગયા વર્ષે નિધન થઈ ગયુ તેમને આજે ઑસ્કર અવૉર્ડ સેરેમની દરમિયાન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જે લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમાં દિગ્ગજ સિડની પોટિયર, બેટી વ્હાઈટ, ઈવાન રીટમેન, સ્ટીફન સોંડેમ અને ઘણા અન્ય લોકોના નામ શામેલ હતા. પરંતુ મહત્વની વાત એ છે કે આ લિસ્ટમાં ભારતના દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર અને સ્વર કોકિલા લતા મંગેશકરનુ નામ શામેલ નહોતુ જેમનુ ગયા વર્ષે નિધન થઈ ગયુ. ઑસ્કર અવૉર્ડ સેરેમનીએ ભારતના આ બે દિગ્ગજને શ્રદ્ધાંજલિ ન આપવાને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ ઑસ્કરના આયોજકો પર નિશાન સાધ્યુ.

ટ્વિટર પર એક યુઝરે ટ્વિટ કરીને લખ્યુ, વિશ્વ રેકૉર્ડધારક લતા મંગેશકરે પોતાના જીવનમાં એટલા ગીતો ગાયા છે જેટલા બધા ઑસ્કરમાં કુલ ગીતો શામેલ છે. પરંતુ તેમછતાં તેમને ઑસ્કર પુરસ્કાર દરમિયાન તેમનુ નામ શ્રદ્ધાંજલિ આપનારની લિસ્ટમાં શામેલ નહોતુ. મને લાગે છે કે ઉપનિવેશવાદી માનસિકતા હજુ પણ ગઈ નથી. જ્યારે બીજા યુઝરે લખ્યુ કે, મને આશા હતી કે લતા મંગેશકરનો જરુર ઉલ્લેખ કરવામાં આવશે પરંતુ તેમના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નહિ.
નોંધનીય વાત એ છે કે લતા મંગેશકરનુ 6 ફેબ્રુઆરીએ 92 વર્ષની વયે નિધન થઈ ગયુ હતુ. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરને કોરોના થયો હતો અને ત્યારબાદ તેમને ન્યૂમોનિયા થઈ ગયો હતો પછી 8 જાન્યુઆરીએ તેમને ભરતી કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ થયો હતો. તેમણે 1942માં 13 વર્ષની ઉંમરે ગાવાનુ શરુ કરી દીધુ હતુ. લગભગ સાત દશકના પોતાના કરિયરમાં લતા મંગેશકરે હજારો ગીતો ગાયા હતા. તેમણે 36 ભાષાઓમાં ગીતો ગાયા હતા જેમાં વિદેશી ભાષાઓ પણ શામેલ છે.
લતા મંગેશકરને ભારત રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા કે જે દેશનુ સર્વોચ્ચ સમ્માન છે. તેમને ત્રણ રાષ્ટ્રીય સમ્માનથી પણ નવાજવામાં આવ્યા હતા. એ મેરે વતને કે લોગો, બાબુલ પ્યારે, લગ જા ગલે જેવા સુપરહિટ ગીતો લતા મંગેશકરે ગાયા હતા. વળી, દિલીપ કુમારની વાત કરીએ તો તેમનુ ગયા વર્ષ 7 જુલાઈએ 98 વર્ષની વયે નિધન થઈ ગયુ. પાંચ દશકના પોતાના કરિયરમાં દિલીપ કુમારે નયા દૌર, રામ ઓર શ્યામ, ક્રાંતિ, કર્મા અને સૌદાગર જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
