For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજયને યાદ કરી લાગણીશીલ બની ગયાં રાહુલ અગ્રવાલ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 મે : બૉલીવુડ ફિલ્મ નિર્માતા રાહુલ અગ્રવાલે જણાવ્યું કે તેઓ પોલીસગિરી ફિલ્મના પ્રમોશન દરમિયાન ફિલ્મના હીરો સંજય દત્તને મિસ કરી રહ્યાં છે. પોલીસગિરી સંજય દત્તના સરેન્ડર બાદ પહેલી ફિલ્મ હશે કે જે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના નિર્માતા ટી. પી. અગ્રવાલ છે અને રાહુલ તેમના પુત્ર છે.

rahulaggarwal-policegiri

રાહુલ અગ્રવાલ પોલીસગિરીના ટ્રેલર લૉન્ચિંગ દરમિયાન લાગાણીશીલ બની ગયાં. તેમણે જણાવ્યું - લાગણીઓ ખૂબ જ અપૂર્ણ છે. ફિલ્મ દ્વારા સંજય દત્ત મારી સાથે છે. જોકે મેં અંતરની શાંતિ ગુમાવી છે. અમે અપૂર્ણ છીએ તેમના વગર. સંજય દત્તે અહીં હોવું જોઇતુ હતું. જો સંજય દત્ત અત્યારે અહીં હાજર હોત, તો સમગ્ર દેશ પોલીસગિરી અંગે તેમના મંતવ્ય જાણવા આતુર હોત.

રાહુલ અગ્રવાલે જણાવ્યું કે એક્શનથી ભરપૂર પોલીસગિરી ફિલ્મ સિંઘમ અને દબંગ જેવી ફિલ્મોની જેમ સફળ થશે. કે એસ. રવિકુમાર દિગ્દર્શિત પોલીસગિરી ફિલ્મ તામિળ ફિલ્મ સામીની હિન્દી રીમેક છે. પોલીસગિરીમાં પ્રાચી દેસાઈ હીરોઇન છે.

English summary
Producer Rahul Aggarwal says he is missing actor Sanjay Dutt's presence during the promotions of his forthcoming film "Policegiri", in which the actor plays the lead role.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X