બધાને ખબર છે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો...
આખરે બાહુબલીએ જાતે જ કટપ્પા પર વાત કરી નાખી. બાહુબલી સિક્વલનો આખરી પાર્ટ શૂટ થઇ ચુક્યો છે. ફિલ્મનો પહેલો લૂક પ્રભાસના જન્મદિવસે આવશે. પરંતુ અત્યાર સુધી એક સવાલ છે જે બધાને જ પરેશાન કરી રહ્યો છે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

આ સવાલનો જવાબ થોડા દિવસ પહેલા જ આવ્યો હતો કે કોઈને પણ ખબર નથી કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો. આ વાત ખાલી 3 લોકો જ જાણે છે લેખક, બાહુબલી અને ડાયરેક્ટર.

હવે પ્રભાસે જાતે જ કહ્યું છે કે આ બધી જ એક અફવાહ છે અને તેના પર બિલકુલ પણ વિશ્વાસ ના કરવો. બાહુબલી સાથે જોડાયેલા બધા જ લોકોને ખબર છે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો. એટલું જ પરંતુ 5 વર્ષ પહેલા જયારે અમે ફિલ્મ સાઈન કરી હતી. ત્યારની બધાને ખબર છે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો.

આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ જોરદાર અફવાહ ઉડી હતી કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેના 4 કારણો શૂટ કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લે ફિલ્મમાં કયો લેવામાં આવશે તે હવે નક્કી થશે. પરંતુ તે એવી રીતે નક્કી કરવામાં આવશે કે કોઈને પણ તેની ભનક ના લાગી શકે.

જ્યારથી બાહુબલી ફિલ્મ આવી છે ત્યારથી આખો ભારત દેશએ જાણવામાં લાગી ગયો છે કે આખરે કટપ્પા એ બાહુબલી ને કેમ માર્યો. આ ફિલ્મ 28 એપ્રિલ 2017માં રિલીઝ થવા જઈ રહી છે. છેલ્લા વર્ષોમાં ઈન્ટરનેટ પર કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેના ઘણા જ રમુજી જવાબો મળ્યા છે.

કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેના ઘણા જ રમુજી જવાબો મળ્યા છે. તો જાણો કેટલાક રમુજી જવાબો...

ભૂલ
કટપ્પા અને ભૂલમાં થગબાલીને બદલે બાહુબલીને મારી નાખ્યો.

સીઆઇડી
આખરે સીઆઇડીને આ નવા કેસ પાર લગાવી દેવામાં આવ્યા છે.

છેલ્લી મેગી ખાઈ લીધી
જયારે મેગી બેન કરી દેવામાં આવી હતી. ત્યારે લોકોએ આ રમુજી ફોટો ચલાવ્યો હતો.

મેલોડી આટલી ચિકલેટી કેમ છે
બાહુબલી હંમેશા કટપ્પાને પૂછતો હતો કે મેલોડી આટલી ચિકલેટી કેમ છે?

શુ તમારા ટૂથપેસ્ટમાં નમક છે
બાહુબલીએ પૂછ્યું હતું કે શુ તમારા ટૂથપેસ્ટમાં નમક છે?

પપ્પુ કેન્ટ ટેગ
બાહુબલીએ કટપ્પાને રાહુલ ગાંધીની ફોટો પર ટેગ કર્યો હતો.

કેન્ડી ક્રશ
આખો દેશ પરેશાન છે આ રિકવેસ્ટથી તો...

કેઆરકેની રિટ્વિટ
બાહુબલી કેઆરકેની ટવિટ ને રિટ્વિટ કરતો રહેતો હતો.












Click it and Unblock the Notifications
