બૉલીવુડના મશહૂર વિલન પ્રાણનું પ્રાણ પંખેરુ ઉડી ગયું
મુંબઇ. 13 જુલાઇ: બૉલીવુડના જાણીતા વિલન પ્રાણે 12 જુલાઇના રોજ લગભગ 8:30 વાગે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાણ બૉલીવુડના એક જાણીતા વિલન હતા. પ્રાણ સાહેબના મોત પર બૉલીવુડમાં ગમનો માહોલ છવાઇ ગયો છે. પ્રાણ સાહેબ થોડા દિવસોથી બિમાર હતા અને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હત. પ્રાણ દરેકના અંગત હતા બલે તે પડદા પર નેગેટિવ શેડ્સ માટે રહેતા હતા પરંતુ અસલ જીંદગીમાં પ્રાણ સાહેબ ખૂબ જ જીંદાદિલ માણસ હતા. પ્રાણ બૉલીવુડમાં ખાસ માનવામાં આવતા હતા. અમિતાભ બચ્ચનથી માંડીને બૉલીવુડના દરેક અભિનેતાએ પ્રાણ સાથે કામ કર્યું છે અને તેમનો અભિનય આજે પણ લોકોના દિલમાં જીવીત છે.
પ્રાણે પોતાના કેરિયરની શરૂઆત ખાનદાન ફિલ્મ દ્વારા એક રોમેન્ટિક એક્ટર તરીકે કરી હતી. ત્યારબાદ પ્રાણે બીજી ઘણી ફિલ્મો કરી છે જેમાં તેમને રોમેન્ટિક પાત્ર ભજવ્યા છે પરંતુ સૌથી વધુ પ્રાણની ઓળખ તેમના નેગેટિવ અને વિલનના પાત્ર ભજવ્યા છે. પ્રાણે બૉલીવુડમાં લગભગ 350 ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મો માટે બેસ્ટ વિલનનો એવોર્ડ પણ મળ્યો છે અને સાથે જ પ્રાણને બૉલીવુડના એક સારા વિલન અને એક્ટરના રૂપમાં ઓળખાતા હતા. પ્રાણને તાજેતરમાં જ દાદાસાહેબ ફાળકે પુસ્કારથી નવજવામાં આવ્યા હતા.

પ્રાણે ઘણાબધાઅ નેગટિવ પાત્ર ભજવ્યા બાદ અમિતાભ બચ્ચની ફિલ્મ જંજીરમાં અમિતાભ સાથે ગાઢ મિત્રની ભૂમિકા ભજવી હતી અને તેમને આ ફિલ્મમાં પ્રાણના પાત્રને ખૂબ પ્રશંસા મળી હતી, પ્રાણને ઉપકાર, આંસૂ બન ગયે ફૂલ, બેઇમાન માટે ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સાથે જ વર્ષ 1997માં પ્રાણને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. પ્રાણનું નિધન આજે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં લગભગ રાત્રે 8.30 વાગે નિપજ્યુ6 હતું. પ્રાણ હંમેશ પોતાના પ્રશંસકોના દિલમાં જીવીત રહેશે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
