પાત્રમાં પ્રાણ પૂરવાનો પ્રયત્ન કરુ છું : રાજપાલ યાદવ
મુંબઈ, 22 મે : બૉલીવુડ ફિલ્મોમાં હાસ્ય અભિનેતા તરીકે મોટી નામના મેળવનાર રાજપાલ યાદવે જણાવ્યું કે તેઓ પાત્રમાં પ્રાણ પૂરવાનો પ્રયત્ન કરે છે. તેમણે જણાવ્યું કે તેઓ ક્યારેય પોતાના પાત્ર અંગે અગાઉથી ભૂમિકા નથી બાંધતાં. તેઓ કોઈ પણ પાત્ર હોય, તેમાં પ્રાણ પૂરવાનો પ્રયત્ન કરે છે.
હંગામા, કલ હો ન હો, મુઝસે શાદી કરોગી, પાર્ટનર જેવી ફિલ્મોમાં પોતાના હાસ્ય અભિનયથી પ્રભાવિત કરનાર રાજપાલે મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હૂં, મૈં મેરી પત્ની ઔર વો, લૅડીઝ ટેલર, રામા રામા ક્યા હૈ ડ્રામા અને કુશ્તી જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
રાજપાલ યાદવ હરિકૃપા ફિલ્મ્સના બૅનર હેઠળ બનતી બાબુજી એક ટિકટ મુંબઈ ફિલ્મના સેટ પર વાતચીત કરી રહ્યા હતાં. બીઈટીબી ફિલ્મમાં તેમની સાથે ભારતી શર્મા પણ છે. રાજપાલ યાદવે જણાવ્યું - મેં પોતાની જાતને સાબિત કરી દીધી છે. હવે જે પણ રોલ મળે છે, તે કરવામાં હું જી-જાન લગાવી દઉ છું.
રામપાલ યાદવ ટુંકમાં જ ઝિંદગી 50 50 ફિલ્મમાં પણ દેખાશે કે જેમાં પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક અને રાજન વર્મા છે.