રામગોપાલ વર્માએ માં સરસ્વતીના ફોટા સાથે કરી છેડછાડ
રામ ગોપાલ વર્મા હવે પોતાની ફિલ્મોને કારણે નહીં, પરંતુ પોતાના વિવાદિત નિવેદનોને કારણે સમાચારમાં ચમકે છે. તેમની સાથે જોડેયલો તાજો વિવાદ એ છે કે, તેમણે માં સરસ્વતીના ફોટા સાથે છેડછાડ કરી છે.
બોલિવૂડના નિર્માતા-નિર્દેશક રામ ગોપાલ વર્મા વારંવાર વિવાદોમાં સપડાય છે, ક્યારેક વળી તેઓ જાણી-જોઇને વિવાદ ઊભો કરતાં હોય એવું પણ લાગે. ક્યારેક વિવાદિત નિવેદનો, તો ક્યારેક વિવાદિત ફોટો. હવે તેમણે માં સરસ્વતીની છબિ સાથે છેડછાડ કરી વિવાદ ઊભો કર્યો છે. રામ ગોપાલ વર્માએ ટ્વીટર પર માં સરસ્વતી નો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેમના હાથમાં વીણાની જગ્યાએ આંધ્ર પ્રદેશ નો નકશો મુકવામાં આવ્યો છે. તેમણે બે વાર આ તસવીર પોસ્ટ કરી છે.

રામ ગોપાલ વર્મા પણ મૂળ આંધ્ર પ્રદેશના છે. સોશિયલ મીડિયા પર આંધ્ર પ્રદેશના નકશાનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેની પર લોકો રોષભરી ટિપ્પણીઓ કરી રહ્યાં છે. એવામાં રામ ગોપાલ વર્માએ આ નકશાને માં સરસ્વતીના હોથમાં વીણાની જગ્યાએ ફિટ કરી લખ્યું છે કે, હું બહુ ખુશ છું કે આ મહાન દેવી આંધ્ર પ્રદેશ પર પોતાની કૃપા વરસાવી રહી છે. તેમણે બીજી વાર એ જ તસવીર પોસ્ટ કરતાં લખ્યું કે, મેં માં સરસ્વતીને આ પહેલાં ક્યારેય આટલાં ખુશ નથી જોયાં, ત્યારે પણ નહીં જ્યારે એમના હાથમાં વીણા હતી.
Never saw her so happy with even Veena in hand than how she seems to feel with AP gun in her hand ..May both the Godess and Gun bless AP pic.twitter.com/X8sNHlhh3D
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2017
દેવી સરસ્વતીની તસવીર સાથે આવી છેડછાડ થયેલી જોઇ ઘણા લોકો રામ ગોપાલ વર્માથી નારાજ થયા છે અને તેમની પર રોષભરી ટિપ્પણીઓ કરી રહ્યાં છે. ટ્વીટર પર આ બદલ તેમની ખૂબ આલોચના થઇ, ઘણાએ તેમને સુધરવાની સલાહ પણ આપી. જો કે આ પહેલો આવો વિવાદ નથી, આ પહેલાં પણ જલ્લીકટ્ટુ પર તેમણે વિવાદાસ્પદ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, જે લોકો આ રમતનું સમર્થન કરી રહ્યાં છે, તેમની પાછળ 10 સાંઢ છોડી દેવા જોઇએ.

-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
