રામલીલા મારા માટે બહુ મોટી તક : રીચા ચડ્ઢા
મુંબઈ, 11 જૂન : ફિલ્મ નિર્માતા સંજય લીલા ભાનુશાળીની રામલીલા ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતાં અભિનેત્રી રીચા ચડ્ઢા કહે છે કે રામલીલા તેમના માટે એક સ્વપ્ન સાચુ થવા જેવું છે. તેમણે જણાવ્યું કે તેમને આટલી જલ્દી ભાનુશાળી સાથે કામ કરવાની તક મળી ગઈ કે જે તેમના માટે બહુ મહત્વની બાબત છે.
રીચાએ એક વાતચીતમાં જણાવ્યું - હકીકતમાં રામલીલા મારા માટે બહુ મોટી તક છે. હું ફિલ્મ અંગે વધુ વાત નથી કરી શકતી, પણ મને લાગે છે કે લોકો ભાનુશાળીની ફિલ્મનો ભાગ બનવા માટે પોતાનું આખું જીવન પસાર કરી દે છે અને મને પોતાના કૅરિયરની શરુઆતમાં જ આ તક મળી ગઈ. મને લાગે છે કે હું બહુ જ ભાગ્યશાળી છું કે લોકો મને સ્વીકારી રહ્યાં છે અને હું બહુ ખુશ ચું.
રીચા ચડ્ઢા છેલ્લે અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ગૅંગ્સ ઑફ વાસેપુર ફિલ્મમાં દેખાયા હતાં કે જેમાં તેમણે નગ્મા ખાતૂનનો રોલ કર્યો હતો. રીચા ટુંકમાં જ ફુકરે ફિલ્મમાં પણ આવી રહ્યાં છે. રામલીલા ફિલ્મમાં રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકામાં છે.