રણધીરે સૈફ-કરીના લગ્ન અંગેની જાહેરાત કરી
મુંબઈ, 12 ઑક્ટોબર : સૈફ-કરીનાના લગ્નને લઈને જેટલી પણ અફવાહો ઉડી હતી. હવે તે તમામ અફવાહો ઉપર ફાઇનલી રણધીર કપૂરે પૂર્ણવિરામ મુકી દીધું છે. રણધીરે પણ હવે આ લગ્નની છુપી તૈયારીઓ પર પોતાની સંમતિની મહોર મારી દીધી છે અને સાથે જ તે તમામ દોસ્તો અને સંબંધીઓ પાસે માફી માંગી છે કે જેમને અત્યાર સુધી લગ્નનુ આમંત્રણ નથી અપાયું. રણધીર કપૂરે ફાઇનલી સ્વીકાર્યુ છે કે સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્ન આ માસની 16મી તારીખે થશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન રણધીરે જણાવ્યું, ‘બબીતાની જેમ હું અને સમગ્ર કપૂર પરિવાર ઇચ્છે છે કે લગ્નની રિસેપ્શન પાર્ટી થાય. અમારે લગ્નગ્રંથિથી જોડાઈ રહેલ આ કપલની લાગણીઓનો પણ ખ્યાલ રાખવો જોઇએ. કરના અને સૈફ એક નાનકડી પ્રાઇવેટ પાર્ટી કરવા માંગે છે. લગ્નમાં માત્ર કપૂર અને ખાન ફૅમિલીના નજીકના સંબંધીઓ અને મિત્રોને બોલાવવામાં આવ્યાં છે.'
રણધીરે આ સાથે જ તેવા તમામ લોકોને લગ્નમાં શામેલ થવા માટે આમંત્રિત નથી કર્યાં તેમને સૉરી કહી જણાવ્યું છે કે હું વ્યક્તિગત રીતે તે તમામ લોકોની માફી માંગુ છું. દિલ્હીમાં એક મોટી રેસિપ્શન પાર્ટી સૈફના માતા શર્મિલા ટાગોર દ્વારા યોજાશે. તેમા તમામ મોટા રાજકારણીઓને બોલાવાયાં છે કે જેમની સાથે શર્મિલાના સંબંધો છે. હું ચાહું છું કે કરનાના તમામ ફૅન્સ એવી દુઆ કરે કે કરીનાનું લગ્ન જીવન સફળ રહે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
