વિદ્યાની થશે વિદાય અને રાણીની આવશે જાન
મુંબઈ, 12 ડિસેમ્બર : આ વર્ષે બૉલીવુડની અનેક બહેતરીન અભિનેત્રીઓ લગ્નગ્રંથિથી જોડાઈ ગઈ, તો વર્ષાંતે વિદ્યા બાલન પરણવા જઈ રહ્યાં છે. બીજી બાજુ નવા વર્ષના આરંભે વધુ એક અભિનેત્રી રાણી મુખર્જીના લગ્નના સમાચાર મળી રહ્યાં છે. એક બાજુ વિદ્યા વિદાય થશે અને બીજી બાજુ રાણીની જાન આવશે.

જાણવા મળતી માહિતી પ્રમાણે 2013ની શરુઆતમાં એટલે કે જાન્યુઆરીમાં રાણી મુખર્જી પણ પોતાના બૉયફ્રેન્ડ આદિત્ય ચોપરા સાથે લગ્ન કરવાનાં છે. આદિત્ય ચોપરાના પિતા યશ ચોપરાનું આ વર્ષે નિધન થતાં રાણી અને આદિત્યના લગ્ન થોડાંક ખેંચાઈ ગયા, પરંતુ સાથે-સાથે યશજીના નિધન દરમિયાન રાણી અને આદિત્ય વચ્ચે નિકટતા વધી ગઈ.
અફવા તો એ પણ ફેલાઈ કે રાણીએ આદિત્ય સાથે લગ્ન કરી લીધાં છે, પરંતુ પછી રાણી-આદિત્ય બંનેએ આ વાત ફગાવી દીધી. હવે ફરી નવેસરથી જાણવા મળે છે કે બંને આવતા મહીને લગ્ન કરી શકે છે. એટલે જ રાણી હાલ કોઈ પણ નવી ફિલ્મ સાઇન નથી કરી રહ્યાં કારણ કે તેઓ પોતાનું ધ્યાન લગ્ન ઉપર કેન્દ્રિત કરવા માંગે છે. લગ્નની તૈયારીઓ માટે તેમને સમય જોઇશે.
બૉલીવુડમાં વિદ્યા બાલન આગામી શુક્રવારે સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્નગ્રંથિથી જોડાનાર છે, તો અગાઉ કરીના કપૂર, એશા દેઓલ જેવી અભિનેત્રીઓ પણ આ જ વર્ષે લગ્નગ્રંથિથી જોડાઈ છે. વિદ્યા બાદ હવે રાણીએ પણ આખરે લગ્ન કરી સૅટલ થઈ જવાનો નિર્ણય કરી લીધો છે. રાણીના મૅનેજરે પણ કહ્યું જ છે કે રાણી આવતા વર્ષે લગ્નગ્રંથિથી જોડાઈ જશે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
