Pics : સન્નીના માર્ગે રણવીર, હવે કન્ડોમ વેચશે, ‘આ તો સમાજ સેવા છે’
મુંબઈ, 25 માર્ચ : બૉલીવુડમાં પોતાના અભિનય વડે દર્શકોના દિલોમાં સ્થાન પ્રાપ્ત કરનાર એક્ટર રણવીર સિંહ ફરી હૅડલાઇન્સમાં છે. જોકે રણવીર સિંહના હૅડલાઇન્સમાં આવવાનું કારણ એક કન્ડોમની એડ કરવી છે. અત્યાર સુધીની પરમ્પરા રહી છે કે બૉલીવુડનો કોઈ પણ ફૅમસ એક્ટર કન્ડોમની એડ કરવાથી દૂર જ રહેતો આવ્યો છે, પણ હવે રણવીરે આ પરમ્પરા તોડી નાંખી છે.
તાજેતરમાં જ રણવીર સિંહની કન્ડોમ બ્રાન્ડ એન્ડોર્સની પ્રથમ ઝલક પણ સામે આવી છે. આ જાહેરખબરમાં રણવીર કન્ડોમ બ્રાન્ડના ડ્યૂરેક્સને હાથે પકડી રાખેલ છે. કન્ડોમની એડ કરવા સાથે જ રણવીરનું નામ પણ તે યાદીમાં જોડાઈ ગયું છે કે જેમાં સન્ની લિયોન, કેશા, પ્રિન્સ અને ડ્રાફ્ટ પંક જેવા સ્ટારનો સમાવેશ થાય છે.
બૅન્ડ બાજા બારાત ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર રણવીર સિંહની લૉટરી લાગી દીપિકા પાદુકોણે સાથેની રામલીલા ફિલ્મ હિટ થવાથી. રામલીલા ફિલ્મ હિટ થયા બાદ રણવીરનો સિતારો ચમકી ગયો અને તેઓ ચર્ચામાં આવી ગયાં. એટલું જ નહીં, આ ફિલ્મ બાદ રણવીર અને દીપિકા વચ્ચેના અફૅરની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ.
ચાલો જોઇએ રણવીર સિંહની કન્ડોમ એડની તસવીરો અને જાણીએ કે તેઓ શું કહે છે આ એડ અંગે :

ચર્ચામાં રણવીર
બૅન્ડ બાજા બારાત સાથે ફિલ્મી કૅરિયર શરૂ કરનાર રણવીર સિંહ રામલીલા ફિલ્મ હિટ થતા ચર્ચામાં છે.

દીપિકા સાથે અફૅર
રણવીર સિંહ રામલીલાના કારણે જ નહીં, પણ ફિલ્મની હીરોઇન દીપિકા પાદુકોણે સાથે અફૅર અંગે પણ ચર્ચામાં છે.

હવે કન્ડોમ વેચશે
રણવીર સિંહ હવે ફરી ચર્ચામાં છે અને તેનું કારણ છે કે તેઓ એક કન્ડોમ વેચતી કમ્પનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં છે. રણવીરને આમાં કંઈ ખોટું નથી ગણતાં.

પહેલા ઇનકાર, હવે સ્વીકાર
રણવીર સિંહનું કહેવું છે - હું છેલ્લા સાડા ત્રણ વરસથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ છું. આ દરમિયાન મને અનેક એન્ડૉર્સમેંટની ઑફર્સ મળી, પણ મેં ઇનકાર કરી દીધો, પરંતુ હવે મેં ફાઇનલી દુનિયાની સૌથી સેક્સ્યુઅલ બ્રાન્ડ ડ્યૂરેક્સ સાથે એન્ડોર્સની દુનિયામાં પગલુ મુક્યું છે.

આ તો સામાજિક કાર્ય છે
રણવીર કહે છે - સેફ સેક્સના પ્રચારમાં કોઈ ખરાબી નથી, બલ્કે આ એક સામાજિક કાર્ય જ છે. દેશના યુવાનોને સેફ સેક્સનો સંદેશ આપવો જરૂરી છે. તેથી મેં આ જાહેરખબર કરી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
