RJ Mahvash On Yuzvendra Chahal : ચહલ સાથે અફેરને લઈને RJ મહવશે ચુપ્પી તોડી, જાણો શું કહ્યું?
RJ Mahvash On Yuzvendra Chahal : ભારતના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેની અંગત લાઈફને લઈને સતત ચર્ચામાં છે.
ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે બધુ ઠીક ન હોવાના અહેવાલ વચ્ચે ચહલનું નામ જાણીતી આરજે મહવશ સાથે જોડાઈ રહ્યું છે. જો કે હવે મહવશે આ મુદ્દે મૌન તોડ્યુ છે.

હાલમાં જ એક રેસ્ટોરન્ટ બહાર આરજે મહવશ અને યુઝવેન્દ્ર ચહલ એક સાથે સ્પોટ થયા બાદ બન્નેના અફેરના સમાચાર વહેતા થયા હતા. હવે આ મુદ્દે મહવશે ખુલ્લીને વાત કરી છે.
આરજે મહવશે કહ્યું કે, તે અને યુઝવેન્દ્ર ચહલ માત્ર સારા મિત્રો છે અને આ અફવાઓમાં કોઈ સત્ય નથી. તેણીએ કહ્યું કે, બંને વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ નથી અને આ ફોટો ફક્ત મિત્રતા અને નાતાલના અવસર પર એક સરળ ઉજવણીનો હતો.
મહવશે ચાહકોને અપીલ કરી કે તેઓ કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરે અને તેમને સાચી માહિતી આપે. બીજી તરફ ચહલ અને ધનશ્રી અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી, બંનેએ આ અફવાઓ પર મૌન જાળવી રાખ્યું છે.
આરજે મહવશે આ પોસ્ટમાં લખ્યું, કે જો કોઈ વ્યક્તિ વિજાતીય વ્યક્તિ સાથે જોવા મળે તો તેનો અર્થ એ નથી કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ તેઓ ફક્ત સારા મિત્રો હોઈ શકે છે. આ દ્વારા તે સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે કે લોકોએ બીજાના અંગત જીવન અને સંબંધો વિશે ખોટી અફવાઓ ફેલાવવાનું ટાળવું જોઈએ.
મહવશે આગળ લખ્યુ કે, આ કયું વર્ષ છે અને તમે બધા કેટલા લોકોને ડેટ કરી રહ્યા છો? હું 2-3 દિવસથી ધીરજ રાખી રહી છું પણ હું કોઈ પણ પીઆર ટીમને મારી છબી બગાડવા નહીં દઉં કે મારું નામ ખરાબ કરવાનો પ્રયાસ નહીં કરવા દઉં. મુશ્કેલ સમયમાં લોકોને તેમના મિત્રો અને પરિવાર સાથે શાંતિથી રહેવા દો. આ નિવેદન પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચહલ અને તે ફક્ત સારા મિત્રો છે.












Click it and Unblock the Notifications
