શાહરુખને બિવડાવવા લૉબીંગની જરૂર નથી : સલમાન ખાન
મુંબઈ, 7 જાન્યુઆરી : આજકાલ ખૂબ ચર્ચા છે કે મિસ્ટર અર્જન રામપાલ શાહરુખ સાથેની મૈત્રી તોડી સલમાન સાથે સંબંધ નિભાવી રહ્યાં છે. તેનું જોરદાર ખંડન કરતાં સલમાન ખાને જણાવ્યું કે તેમને કોઈને પાઠ ભણાવવા માટે કોઈ લૉબીંગની જરૂર નથી. શાહરુખ સાથે મૈત્રી કે શત્રુતા અમારી આપસની બાબત છે. તેના માટે મને કોઈની જરૂર નથી.

અહીં આપને જણાવી દઇએ કે આ એ જ સલમાન ખાન છે કે જેમણે જબ તક હૈ જાન અને સન ઑફ સરદાર ફિલ્મોની રિલીઝિંગ ડેટના સમય બાબતમાં ખુલ્લેઆમ અજય દેવગણનો સાથ આપ્યો હતો. તે પણ એટલા માટે, કારણ કે જબ તક હૈ જાન ફિલ્મમાં શાહરુખ ખાન હતાં. સલમાને ખુલ્લેઆમ ટ્વિટર પર લખ્યુ હતું કે આ દીવાળી ખાનની નહીં, પણ સરદારની છે.
હવે એ જ સલમાન ખાન એમ કહી રહ્યાં છે કે તેમને શાહરુખ સાથે પંગો લેવા માટે કોઈ ત્રીજાની જરૂર નથી. નોંધનીય છે કે આ વાતો માત્ર એટલા માટે ઊભી કરાઈ રહી છે, કાણ કે અર્જુન રામપાલ સલમાનના લોકપ્રિય શો બિગ બૉસમાં પોતાની આવનાર ફિલ્મ ઇનકારના પ્રમોશન માટે આવનાર છે, પરંતુ ફિલ્મી પંડિતોનું કહેવું છે કે સલમાન જાણીજોઈને અર્જુનની ફિલ્મનું પ્રમોશન પોતાના શોમાં કરાવી રહ્યાં છે, કારણ કે એવું કરી તેઓ શાહરુખને નીચું બતાવવા માંગે છે.
જોકે છેલ્લા કેટલાંક દિવસોથી સલમાન ખાને કિંગ ખાન પ્રત્યે થોડુંક કુણું વલણ અપનાવ્યું છે. આ અગાઉ બિગ બૉસ શોના પ્રતિસ્પર્ધી ઇમામ સમક્ષ તેઓ શાહરુખના વખાણ કરતાં નજરે પડ્યા હતાં. હવે આ તમામ વાતો પાછળ શું છે, તે તો માત્ર સલમાન જ બતાવી શકે છે. શી ખબર જૂની કડવાશ ભુલાવી તેઓ ફરીથી શાહરુખના મિત્ર બનવા માંગતા હોય કે પછી મીઠું-મીઠું બોલી તેઓ ફરીથી શાહરુખ માટે કોઇક કડવો અને ખતરનાક મસાલો તૈયાર કરતાં હોય?












Click it and Unblock the Notifications
