સામંથા રુથ પ્રભુનુ ડિવૉર્સ અને માયોસાઈટીસ પર છલકાયુ દર્દ, કહ્યુ - 'આ આગમાંથી પસાર થઈ છુ...'
Samantha Ruth Prabhu On Divorce: સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુને કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. જોકે, પ્રોફેશનલ લાઈફ સિવાય તેની પર્સનલ લાઈફ કોઈનાથી છુપાયેલી નથી. તાજેતરમાં તેણે નાગા ચૈતન્યથી છૂટાછેડા વિશે ખુલીને વાત કરી હતી.
સામંથા રૂથ પ્રભુ છેલ્લે વિજય દેવેરાકોંડાની સાથે ફિલ્મ 'ખુશી'માં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ તેણે થોડો સમય બ્રેક લીધો હતો. અભિનેત્રીએ ચાહકોને જણાવ્યું હતું કે તે માયોસાઇટિસ નામની બીમારીથી પીડિત છે. આ સાથે તેણે નાગા ચૈતન્યથી છૂટાછેડા પર ઘણી વાત કરી.

એલે ઈન્ડિયા સાથેના એક ઈન્ટરવ્યુમાં સામન્થાએ કહ્યું, "આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણે આપણા જીવનમાં કેટલીક વસ્તુઓ બદલી શકીએ અને ક્યારેક મને આશ્ચર્ય થાય છે કે શું મારે તે વસ્તુઓમાંથી પસાર થવાની જરૂર છે. પરંતુ જ્યારે હું પાછળ જોઉં છું, ત્યારે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. "
સામન્થાએ વધુમાં કહ્યું કે, "હું થોડા સમય પહેલા મારા મિત્રો સાથે આ વિશે વાત કરી રહી હતી અને હું હંમેશા વિચારતી હતી કે હું છેલ્લા ત્રણ વર્ષ આવા નહોતી ઈચ્છતી. પરંતુ હવે મને લાગે છે કે તમારે જીવનમાં જે આવે છે તે બધું સ્વીકારવું પડશે. તમારે પડકારોનો સામનો કરવો પડશે અને જ્યારે તમે આ પડકારોને પાર કરશો, ત્યારે મને લાગે છે કે તમે પહેલા કરતા વધુ મજબૂત છો કારણ કે હું અહીં સુધી પહોંચવા માટે લડી છું."
તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યની પહેલી મુલાકાત ફિલ્મ 'યે માયા ચેસાવે'ના સેટ પર થઈ હતી. આ પછી બંને એકબીજાની નજીક આવ્યા અને પછી લાંબા સમય સુધી ડેટ કર્યા. આ પછી, સામંથા અને નાગાએ વર્ષ 2017 માં લગ્ન કર્યા. પરંતુ માત્ર 4 વર્ષ બાદ જ કપલે અલગ થવાનો નિર્ણય કર્યો. સામંથા અને નાગાએ વર્ષ 2021માં છૂટાછેડા લીધા હતા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
