સતીશ કૌશિકના નિધન પછી દીકરીએ ડિલીટ કર્યુ ઈન્સ્ટા અકાઉન્ટ, જાણો શું છે કારણ
સતીશ કૌશિકના નિધનના એક સપ્તાહ બાદ તેમની દીકરી વંશિકાએ પોતાનુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરી દીધુ. અહીં જાણો કારણ.

Satish Kaushik Daughter Vanshika: બૉલિવુડ અભિનેતા અને ડાયરેક્ટર સતીશ કૌશિકના 9 માર્ચે અચાનક નિધનથી સહુ કોઈને ઝટકો લાગ્યો હતો. તેમના પરિવાર પર પણ દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. સતીશ કૌશિકની દીકરી વંશિકા આ શોકમાંથી બહાર નથી નીકળી શકતી. તેણે પિતાની યાદમાં એક પોસ્ટ શેર કરી હતી. હવે નિધનના એક સપ્તાહ બાદ તેણે પોતાનુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરી દીધુ.

વંશિકાએ ડિલીટ કર્યુ ઈન્સ્ટા અકાઉન્ટ
દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિકના નિધન બાદ તેમના મિત્રો અને પરિવારના સભ્યો દ્વારા વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ મામલે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. સાથે જ પોલીસ પણ આ મામલે અલગ રીતે તપાસ કરી રહી છે. અભિનેતાના મૃત્યુ બાદ તેમના ચાહકો અને તમામ મોટા સ્ટાર્સ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. સતીશ કૌશિકની પુત્રી તેના પિતાના જવાથી સંપૂર્ણપણે ભાંગી ગઈ છે અને હવે તેણે તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દીધુ છે.

પિતાના જવાથી શોકમાં છે વંશિકા
સતીશ કૌશિક અવારનવાર તેમની પુત્રી સાથેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા. વંશિકાનુ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ @vanshika_kaesthetic નામથી હતુ. જોકે હવે આ અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર દેખાતુ નથી. પીઢ અભિનેતાના નિધનના એક અઠવાડિયાથી ઓછા સમયમાં, વંશિકાએ તેનુ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કાઢી નાખ્યુ.

પરિવાર પર તૂટી પડ્યો પહાડ
સતીશ કૌશિકના મૃત્યુથી તેમનો પરિવાર ભાંગી પડ્યો છે. હાલમાં અભિનેતાના ભત્રીજા નિશાંતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે અભિનેતાના મૃત્યુથી તેનો પરિવાર ઊંડા આઘાતમાં છે. અભિનેતાની વિદાય સાથે, તેની પત્ની અને પુત્રીનુ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જો કે તે હવે આ દુઃખમાંથી બહાર આવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે.

સતીશ કૌશિકને આવ્યો હતો હાર્ટ એટેક
તમને જણાવી દઈએ કે હોળીની રાતે સતીશ કૌશિકને અચાનક મૂંઝવણનો અનુભવ થયો અને તેમણે તેના મેનેજરને તેમને હૉસ્પિટલ લઈ જવા કહ્યુ. જે બાદ તેમને તાત્કાલિક નવી દિલ્લીની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મેનેજરના જણાવ્યા મુજબ અભિનેતાને રસ્તામાં હાર્ટ એટેક આવ્યો હતો. જોકે, હૉસ્પિટલમાં લઈ જવાયા બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન






Click it and Unblock the Notifications
