શાહરુખ ખાને વિવાદાસ્પદ નિવેદનોથી કરી તોબા
મુંબઈ, 8 ફેબ્રુઆરી : આઉટલુક મૅગેઝીનમાં અપાયેલ નિવેદન અંગે ભારતથી માંડી પાકિસ્તાન સુધી હોબાળો મચ્યા બાદ શાહરુખ ખાને હવે વિવાદાસ્પદ નિવેદનોથી તોબા કરી લીધી છે. શાહરુખ ખાને જણાવ્યું છે કે તેઓ હવેથી દેશના કોઈ પણ રાજકીય, વિવાદાસ્પદ કે ધાર્મિક મુદ્દે પોતાનો કોઈ અભિપ્રાય નહીં આપે અને કોઈ નિવેદન પણ નહીં આપે.
શાહરુખ ખાને જણાવ્યું - જો લોકોએ મને કોઈ પ્રશ્ન કરવો હોય, તો માત્ર મારી ફિલ્મો અંગે જ કરે. હું બેધડક અને આરામથી ઉત્તરો આપીશ. તેમણે જણાવ્યું કે તેઓ હવેથી કોઈ પણ ગેરફિલ્મી નિવેદન નહીં આપે.
નોંધનીય છે કે શાહરુખને આઉટલુક મૅગેઝીન સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતું કે તેમને લાગે છે કે ભારતમાં મુસ્લિમ ભાઇઓ સામે ક્યાંકને ક્યાંક મુશ્કેલીઓ આવે છે. તે પૂર્ણત્વે સલામત નથી. પછી તો હાફિઝ સઈદે ભારતના સલાહ આપી દીધી હતી કે ભારત સરકાર શાહરુખને સુરક્ષા પૂરી પાડે અને આ મુદ્દે મોટો હોબાળો મચ્યો હતો. અંતે શાહરુખે મૌન તોડી જણાવ્યુ હતું કે તેઓ ભારતમાં સલામત છે. પાકિસ્તાન વણમાંગી સલાહ ન આપે.