શશિ કપૂરના અંતિમ સંસ્કારમાં પહોંચ્યું બોલીવૂડ
મુંબઇમાં 70ના દાયકાના જાણીતા અભિનેતા શશિ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અમિતાભથી લઇને કપૂર ખાનદાન રહ્યું હાજર
હિંદી સિનેમાના જાણીતા સ્ટાર શશિ કપૂરનું સોમવારે નિધન થયું છે. તે 79 વર્ષના હતા અને લાંબા સમયથી બિમારી સામે લડી રહ્યા હતા. 1970 અને 1980ના દાયકાના આ પ્રસિદ્ધ સ્ટારે સોમવારે કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. નોંધનીય છે કે શશિકપૂરને કિડનીની સમસ્યા હતી. અને લાંબા સમયથી તે ડાયલિસિસ પર હતા. નોંધનીય છે કે શશિકપૂરને 2015 અને 2014માં દાદાસાહેબ ફાલ્કે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ત્યારે મુંબઇના સાંતાક્રૂઝ શ્મશાન ઘાટમાં શશિ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં બોલીવૂડના અનેક જાણીતા સ્ટાર અને કપૂર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ત્યારે અમિતાભ બચ્ચન, રણધીર કપૂર, અભિષેક બચ્ચન, શક્તિ કપૂર, ઋષિ કપૂર સમેત કપૂર ખાનદાન આ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. ત્યારે ધ્વજમાં લપેટીની તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શશિ કપૂરના પુત્ર સંજના અને પુત્ર કરણ પણ સોમવારે રાતે મુંબઇ પહોંચી ગયા હતા. અને ઋષિ કપૂર પણ દિલ્હીથી પોતાની શૂટિંગ છોડીને મુંબઇ આવી પહોંચ્યા હતા. વધુમાં અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં પણ શશિ કપૂરને ભાવભીની શ્રદ્ધાજંલિ અર્પી હતી.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
