સુશાંત કેસમાં સામંથા રુથ પ્રભુએ રિયા ચક્રવર્તીને આપ્યો સાથ, અભિનેત્રીને ગણાવી 'રિયલ હીરો'
Samantha Ruth Prabhu Supports Rhea Chakraborty: બૉલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 3 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ આજે પણ ચાહકો એ સ્વીકારવા તૈયાર નથી કે તેણે આત્મહત્યા કરી છે. આ કિસ્સામાં, અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને સૌથી વધુ હન કરવું પડ્યું હતું.
અભિનેત્રી પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. જેના કારણે તેને કેટલાક દિવસો જેલમાં પણ પસાર કરવા પડ્યા હતા. સુશાંત કેસમાં રિયા ચક્રવર્તી વિશે લોકોએ કહ્યું હતું કે તેણે સુશાંત પર કાળો જાદુ કર્યો હતો અને આ સમગ્ર મામલામાં તેનો હાથ હતો. આ કેસ પછી રિયા ચક્રવર્તીએ પોતાની જાતને ઈન્ડસ્ટ્રીથી દૂર કરી લીધી હતી.

જો કે, હવે રિયા પોતાની પ્રોફેશનલ લાઈફમાં આગળ વધી રહી છે. આ સ્થિતિમાં તમામ સ્ટાર્સ તેમના સમર્થનમાં સામે આવ્યા હતા. હાલમાં, સાઉથની પ્રખ્યાત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ સુશાંતના કેસમાં રિયા ચક્રવર્તીને સમર્થન આપ્યું હતું. અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં રિયાને તેની હીરો તરીકે ટેગ કરી હતી. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર રિયાના ઈન્ટરવ્યુની ક્લિપ શેર કરી છે. જેમાં તે કહી રહી છે કે લોકોએ સુશાંતના કેસમાં ઘણું ખરુ-ખોટુ કહ્યુ હતુ.
ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં રિયા ચક્રવર્તી કહે છે, 'તે સમયે મારા પરિવાર અને મારા કેટલાક મિત્રોએ મને સપોર્ટ કર્યો હતો. આ લડાઈમાં તે મારું મુખ્ય હથિયાર રહ્યા. બધાએ મને સુશાંતના મૃત્યુ માટે જવાબદાર ઠેરવી. લોકો મને ડાકણ અને કાળો જાદુ કરનારી પણ કહેતા. પરંતુ આ બધું હોવા છતાં પણ હું આ લડાઈ તાકાતથી લડતી રહી.
તમને જણાવી દઈએ કે 14 જૂન 2020ના રોજ લોકડાઉન દરમિયાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂત તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ અને સીબીઆઈનું કહેવું છે કે તેણે આત્મહત્યા કરી હતી. જો કે આજે પણ ચાહકો આ વાત સ્વીકારવા તૈયાર નથી. આ કેસની તપાસ પહેલા મુંબઈ પોલીસને સોંપવામાં આવી હતી અને બાદમાં સીબીઆઈએ નવેસરથી તપાસ શરૂ કરી હતી.












Click it and Unblock the Notifications
