સુશાંત સિંહ કેસ - ફૉરેન્સિક તપાસમાં મળ્યા ગરબડના સંકેત, આવતા સપ્તાહે થઈ શકે છે મોટો ખુલાસો
સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવતા સપ્તાહે એક મોટો ખુલાસો થવાની સંભાવના છે.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવતા સપ્તાહે એક મોટો ખુલાસો થવાની સંભાવના છે. AIIMSના ફૉરેન્સિક બોર્ડ આ મામલે આવતા સપ્તાહે CBIને પોતાનો અંતિમ રિપોર્ટ સોંપશે. માનવામાં આવી રહ્યુ છે કે આ રિપોર્ટથી સુશાંતના મોતનુ સત્ય સામે આવશે. અભિનેતાનુ મોત હત્યા હતુ કે આત્મહત્યા, એ જણાવવામાં આવી શકશે. હાલમાં સમાચારોની માનીએ તો ફૉરેન્સિક ટીમને પોલિસ દ્વાર લખેલ રિપોર્ટ અને ક્રાઈમ સીન સાથે સંબંધિત વસ્તુઓાં કંઈક વિસંગતિઓ હોવાના સંકેત મળ્યા છે.
ફૉરેન્સિક વિભાગના પ્રમુખે કહ્યુ
એઈમ્સમાં ફૉરેન્સિક વિભાગના પ્રમુખ ડૉ.સુધીર ગુપ્તાએ એએનઆઈને જણાવ્યુ કે અમે મેડિકલ બોર્ડની બેઠક અને બાદમાં સીબીઆઈ સાથ યોજાનાર બેઠક બાદ આ કેસનું અધ્યયન કરી રહ્યા છે.
ભ્રમ કે શંકા વિનાનુ અંતિમ નિષ્કર્ષ
આવતા સપ્તાહે સીબીઆઈને આ મેડિકલ બોર્ડનુ મંતવ્ય સોંપી દેવામાં આવશે. મને આશા છે કે આ કોઈ ભ્રમ કે શંકા વિનાનુ અંતિમ નિષ્કર્ષ હશે. હાલમાં આ કેસ કોર્ટમાં વિચારાધીન હોવાના કારણે અમે આ રિપોર્ટ શેર કરી શકતા નથી. ફૉરેન્સિક ટીમે ક્રાઈમ સીનની ફરીથી તપાસ કરી છે. જેમ કે સુશાંતના ડુપ્લેક્સ ફ્લેટ અને તેમને બેડરૂમ, જ્યાં સુશાંત મૃત મળી આવ્યા હતા.
અમુક વિસંગતિઓ છે
સૂત્રો અનુસાર જો એક તપાસ રિપોર્ટ, જે એ પરિસ્થિતિઓ વિશે મહત્વપૂર્ણ વિવરણ આપે છે, જેમાં કોઈનુ મૃત્યુ થયુ છે, તેમાં અમુક વિસંગતિઓ છે, તો આ એક મહત્વપૂર્ણ શોધ હોઈ શકે છે. જો કે કેસ કોર્ટમાં વિચારાધીન છે માટે વિશિષ્ટ ફૉરેન્સિક નિષ્કર્ષોને શેર કરી શકાય નહિ.
એર ઈન્ડિયા પર દૂબઈએ લગાવી રોક, બે વાર કોરોના સંક્રમિત દર્દીઓને ફ્લાઈટમાં બેસાડ્યા